ન્યૂયોર્કઃ S Jaishankar On Terrorism: વિદેશ મંત્રી એસ જયશંકરે આજે આતંકવાદી કૃત્યો દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષા માટે ખતરા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન પર ઇશારા-ઇશારામાં નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, કેટલાક એવા દેશ છે જે આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે, તેની મંજૂરી આપી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું- ભારત, આતંકવાદથી સંબંધિત પડકારો અને ક્ષતિથી વધુ પ્રભાવિત રહ્યું છે. વિશ્વએ આતંકવાદની અનિષ્ટ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. ભારતનું માનવું છે કે આતંકવાદને કોઈ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા કે જાતીય સમૂહ સાથે જોડવા જોઈએ નહીં. 


જયશંકરે કહ્યુ કે, આતંકવાદના બધા રૂપો, અભિવ્યક્તિની નિંદા કરવી જોઈએ, તેને કોઈપણ રીતે ન્યાયયોગ્ય ઠેરવી શકાય નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube