Sri Lanka Crisis Protes: આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં જ્યારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા તો પછી આમ આદમીની શું વિસાત હશે. આ દરમિયાન શ્રીલંકાના પાર્ટી નેતાઓએ બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠક દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાના પીએમએ આપ્યું રાજીનામું
શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની નિરંતરતા સુનિશ્વિત કરવા માટે, હું આજે પાર્ટે નેતાઓની સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવાની સૌથી ભલામણને સ્વિકાર કરું છું.   તેને સુગમ બનાવવા માટે હું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપીશ.'


Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેર્યું


રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા. 


પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube