ઈસ્લામાબાદ: ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને હરાવીને જમીનથી બે વેંત અદ્ધર ચાલી રહેલા પાકિસ્તાનનો નશો જાણે ઉતરવાનું નામ જ નથી લેતો. આ જ કારણ છે કે તેના નેતાઓ અને મંત્રીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે. ગૃહમંત્રી બાદ હવે ઈમરાન ખાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ પોતાની છીછરી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. 


પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈને જ્યારે ફવાદ ચૌધરીને સવાલ કરાયો તો તેમણે લુચ્ચા હાસ્ય સાથે વિચિત્ર નિવેદન આપ્યું. તેમણે કહ્યું, અસલ ગુસ્સો તો અમને ન્યૂઝીલેન્ડ પર હતો, આ ભારત વચ્ચે આવી ગયું. જ્યારે તેમને દુબઈમાં મેચ જોવા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે બસ ઈન્ડિયાવાળું તો થઈ ગયું, હવે રોજ રોજ શું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube