ઉદયપુરમાં કન્હૈયાલાલની ધોળે દિવસે તાલિબાન સ્ટાઈલમાં કરાયેલી નિર્મમ હત્યાથી માત્ર દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિરોધ શરૂ થયો છે. નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે આકરા શબ્દો આ ઘટનાની ટીકા કરી છે. અત્રે જણાવવાનું કે જે સમયે દુનિયાભરના દેશ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી રહ્યા હતા ત્યારે ગિર્ટે નુપુરના સમર્થનમાં પોસ્ટ કરી હતી. હવે તેમણે કહ્યું કે કટ્ટરવાદ, આતંકવાદ અને જેહાદીઓથી હિન્દુત્વને બચાવવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદયપુરની ઘટના બાદ એક ટ્વીટમાં ગિર્ટ વિલ્ડર્સે કહ્યું કે 'ભારત, હું તમને એક મિત્ર માનીને કહી રહ્યો છું, અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરી દો. જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે હિન્દુત્વની રક્ષા કરો. ઈસ્લામના તૃષ્ટિકરણ ન કરો નહીં તો તેની કિંમત ચૂકવવી પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સો ટકા રક્ષા કરે.'


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube