નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવર્તાએ કહ્યુ કે, યુક્રેન-રશિયા સરહદ પર ખરેખર શું થઈ રહ્યું છે તે વિશે મજબૂતીથી કંઈ કહી શકાય નહીં. જ્યાં સુધી સ્થિતિની ગંભીરતાનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે જ્યારે અમે કોઈ એડવાઇઝરી જાહેર કરીએ છીએ તો એક અભ્યાસ બાદ કરીએ છીએ. પરંતુ હજુ સુધી લોકોને ત્યાંથી કાઢવા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- યુક્રેનની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છીએ. હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે અને કીવ તથા દિલ્હીમાં કંટ્રોલ સ્થાપિત કરવામાં આવ્યો છે. દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય એમ્બેસી વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. 


વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, અમે તણાવને તત્કાલ ઘટાડવાના હકમાં છીએ અને સમાધાન કૂટનીતિક વાર્તાઓ દ્વારા કાઢવાના પક્ષમાં છીએ. 


Viral Video: અત્યંત ચોંકાવનારી ઘટના, આકાશમાં ઉડતું હતું પક્ષીઓનું ઝૂંડ, અચાનક ટપોટપ જમીન પર પડ્યા


પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદન પર વિદેશ મંત્રાલયની ટિપ્પણી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમને લાગે છે કે આ એક રાજકીય મુદ્દો છે. અમે આને નીતિવિષયક ટિપ્પણી માનતા નથી. જ્યાં સુધી ચીન સરહદની વાત છે, અમે ઘણી વખત સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેનાથી વધુ બોલવાનું કોઈ કારણ નથી. પરંતુ હું ફરી એકવાર કહેવા માંગુ છું કે આ એક રાજકીય નિવેદન છે, નીતિગત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube