મોસ્કો: રશિયાના રક્ષા મંત્રાલયે મોટો દાવો કર્યો છે કે યુક્રેનના અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના એક મોટા સમૂહને જબરદસ્તીથી પકડી લીધા છે. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેનના અધિકારીઓએ નિયમો વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. રશિયાના વિેદેશ મંત્રાલયે ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારતીયોની સુરક્ષિત વાપસી માટે તમામ ઉપાય કરવા તૈયાર છે. જેથી કરીને ભારતીયોને સકુશળ સૈન્ય હવાઈ જહાજ કે પછી અન્ય ભારતીય વિમાન દ્વારા જે રીતે ભારત ઈચ્છે તે રીતે પોતાના દેશ પહોંચાડી શકે. આ બાજુ આ દાવા પર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેને બંધક બનાવ્યા- રશિયા
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોના જણાવ્યાં મુજબ યુક્રેનની પોલીસ અને અધિકારીઓ ભારતીયોને પરેશાન કરવાની સાથે તેમને પોલેન્ડની સરહદ સુધી પહોંચવા દેતા નથી. મંત્રાલયનું એમ પણ કહેવું છે કે આવા પડકારો છતાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રશિયાના રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખારકિવમાં ફસાયેલા છે . તેઓ યુક્રેન છોડવા માટે રશિયા-યુક્રેન બેલગોરોડ સરહદ પર જવા ઈચ્છે છે પરંતુ તેમની યુક્રેની અધિકારીઓ ધરપકડ કરી રહ્યા છે. 


રશિયા અને યુક્રેન વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ
આ બાજુ યુક્રેન એવો દાવો કરી રહ્યું છે કે રશિયાના હુમલાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી. યુક્રેન કહે છે કે ભારતીય વિદ્યાર્થીઓ રશિયાના હુમલાના કારણે બહાર નીકળી શકતા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને લઈને આરોપ પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube