નવી દિલ્હી: યુક્રેન રશિયા યુદ્ધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે અને મોસ્કો પરનું આક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમના પરમાણુ દળોને ખાસ એલર્ટ રાખવાના થોડા કલાકો બાદ રશિયાએ તેમની ન્યુક્લિયર સબમરીન દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની આશંકા વધી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 બેલિસ્ટિક મિસાઈલ લઈ જઈ શકે છે રશિયન ન્યુક્લિયર સબમરીન
તમને જણાવી દઈએ કે, રશિયન ન્યુક્લિયર સબમરીન એક સાથે 16 બેલિસ્ટિક મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે. આ સબરમીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે. રશિયાના આ પગલાંને લઇને એક્સપર્ટ્સનું માનવું છે કે, ક્રેમલિન તેમની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.


ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કરશે રશિયા?
રિપોર્ટ્સ અનુસાર રશિયાએ 3 માર્ચથી તેના ન્યુક્લિયર હથિયારોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. મોસ્કોએ 22 માર્ચે નાટોને ધમકી આપતા કહ્યું હતું કે, જો નાટોએ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું તો ક્રેમલિન ન્યુક્લિયર હુમલો કરવાથી ચૂકશે નહીં. ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, જો રશિયા સામે અસ્તિત્વનો ખતરો ઉભો થશે તો તે ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરશે.


ધ ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ન્યુક્લિયર સબમરીન જલદી રશિયા તરફ પાછી ફરે અને ત્યારબાદથી ગતિવિધિઓ સમાન્ય છે. પરંતુ રશિયાના આ પગલાં બાદ પશ્ચિમી દેશોની ગુપ્ત એજન્સિઓ દ્વારા ક્રેમલિનના ન્યુક્લિયર હથિયારોના ભંડાર પર નજર રાખવામાં આવી રહી છે.


ડોનબાસનું લિબરેશન ઇચ્છે છે રશિયા
રશિયાના જનરલ સ્ટાફના પહેલા ઉપ પ્રમુખ કર્નલ જનરલ સર્ગેઈ રૂડસ્કોયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે સમાન્ય રીતે ઓપરેશન પહેલા ચરણના તમામ મુખ્ય કાર્ય પૂરા થઈ ગયા છે. એવામાં હવે અમે મુખ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને આ મુખ્ય લક્ષ્ય ડોનબાસનું લિબરેશન છે. તેમણે હ્યું કે, જ્યાં સુધી રશિયા સેના ડોનબાસ અને લુહંસ્કને લિબપરેટ નહીં કરે, અમે પાછા હટવાના નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube