નવી દિલ્હી: વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ બીજીવાર શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં મોદી અને તેમના મંત્રીમંડળના 57 સભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લઈ રહ્યાં હતાં તે જ સમયે ભારત સાથે પોતાની મિત્રતાનો જશ્ન મનાવતા યુએઈ (યુનાઈટેડ આરબ અમીરાત)ની રાજધાની અબુધાબીના આઈકોનિક એડનોક ગ્રુપનો ટાવર ભારત અને અબુધાબીના ઝંડામાં રંગાયેલો જોવા મળ્યો. 


વિશ્વના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...