ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝિલેન્ડમાં બે મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલાનો સમગ્ર દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે અને તેની નિંદા કરવામાં આવી રહી છે. 15 માર્ચ, શુક્રવારના રોજ ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો એક્ઠા થઈ રહ્યાં છે. અહીં, લોકો મૃતકોનાં પરિજનો અને ગાયલોને સાંત્વના પાઠવી રહ્યા છે. આ હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝિલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં ઈસ્લામિક આતંકવાદનું નામનિશાન નથી. અહીં, મુસલમાનો જ્યારે શુક્રવારની નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે બે માથાફરેલા શખ્શોએ ઓટોમેટિક ગનથી મસ્જિદમાં નમાઝ પઢી રહેલા લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ન્યૂઝિલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડોને આ હુમલાને આતંકી ઘટના જણાવીને તેની આકરી નિંદા કરી હતી. તેઓ શનિવાર ક્રાઈસ્ટચર્ચ પહોંચ્યા હતા અને હિજાબ પહેરીને એ મસ્જિદની મુલાકાત લીધી હતી જ્યાં આ હુમલો થયો હતો. 


હવે, નેધરલેન્ડ્સના યુટ્રેક્ટમાં અંધાધૂધ ગોળીબાર, એકનું મોત, અસંખ્ય ઘાયલ


પીએમ જેસિન્ડા શનિવારે જ ક્રાઈસ્ટ ચર્ચામાં મુસ્લિમ સમુદાયના કેન્ટબરી ખાતે આવેલા રેફ્યુજી સેન્ટરમાં પહોંચ્યાં હતાં અને અહીં પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાળા રંગનો હિજાબ પહેર્યો હતો અને પીડિતોનાં પરિજનો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24-36 કલાકમાં તમે જે સમર્થન મળી રહ્યું છે તે સાચું ન્યુઝીલેન્ડ છે. 


[[{"fid":"206935","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ દરમિયાન જેસિન્ડાનો હિજાબ પહેરેલો જે ફોટો ખેંચવામાં આવ્યો હતો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ફોટામાં આર્ડોને અત્યંત દુખી દેખાઈ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડમાં પીડિત પરિવારોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો સડકો પર આવી રહ્યા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ ફૂલ અને કાર્ડ મુકવામાં આવી રહ્યા છે. 


ન્યૂઝીલેન્ડ મસ્જીદ હુમલો: હુમલાખોરે પોતાના વકીલને હટાવ્યો, પોતે જ કરશે દલીલ


આ હુમલો કરનારા વ્યક્તિ પાસે એક ઘોષણાપત્ર હતો, જેમાં તેણે પોતાને 28 વર્ષનો ચરમ દક્ષિણપંથી જણાવ્યો છે. તે પોતાને સ્થળાંતર વિરોધી વિચારધારાનો ઓસ્ટ્રેલિયન નાગરિક જણાવે છે. હુમલાખોરનું નામ બ્રેટન ટેરેન્ટ છે. તેણે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોતાનો વકીલ પણ રાખવાની ના પાડી દીધી છે અને જણાવ્યું છે કે, તે પોતાની દલીલો જાતે જ રજૂ કરશે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....