નવી દિલ્હી: એક બાજુ જ્યાં પાકિસ્તાની સરકાર અને તેમની સેના ભારત વિરુદ્ધ સતત કાવતરા રચ્યા કરે છે, દુષ્પ્રચાર કરે છે ત્યારે બીજી બાજુ ત્યાંના જ નેતા ભારતના વખાણ કરી રહ્યાં છે. આવા જ એક નેતા પાકિસ્તાની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યુએમ)ના સંસ્થાપક અલ્તાફ હુસૈન છે. તેમણે શનિવારે લંડનમાં ભારતના વખાણમાં 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તા હમારા' ગાયું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ પણ ખોલી.


પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાનની સરકાર પર ભરોસો કરી શકાય નહીં. પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના 72 વર્ષથી કાશ્મીર મુદ્દે તેમના જ લોકોને દગો કરી રહ્યાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...