લંડનઃ બ્રિટનની અદાલતે ભાગેડુ વ્યવસાયી વિજય માલ્યા (vijay mallya) ને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટમાં નાદારી અરજીમાં વિજય માલ્યાની હાર થઈ છે. ત્યારબાદ હવે તેની પાસે પૈસા વસૂલ કરવામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા હવે એક ડગલું દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં એક કંસોર્યિયમે એપ્રિલમાં લંડન હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાગેડુ વ્યાવસાયીને નાદાર જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. વિજય માલ્યા પર બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાયન્સ માટે લીધેલી  લોનના હજારો કરોડ રૂપિયા બાકી છે. 


વિજય માલ્યાનુ તે કહેવુ તુ કે તેના ઉપર જે લોન બાકી છે તે જનતાના પૈસા છે. તેવામાં બેન્કથી નાદાર જાહેર ન કરી શકો. આ સાથે માલ્યાએ તે પણ દાવો કર્યો કે ભારતીય બેન્કો કરપથી દાખલ નારાદી અરજી કાયદાથી બહાર છે. કારણ કે ભારતમાં તેની સંપત્તિની સિક્યોરિટી પર ન લગાવી શકો કારણ કે ભારતમાં જનતાના હિતની વિરુદ્ધ છે. 


આ પણ વાંચોઃ ઇઝરાઇલે 12 ટ્વિટ્સમાં 1000 રોકેટ બતાવ્યા, કહ્યું- અમારી પર થયા આટલા હુમલા


મુખ્ય દિવાલિયા તથા કંપની અદાલત (આઈસીસી) માં ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સની સમક્ષ એક આભાસી સુનાવણીમાં બન્ને પક્ષોએ પાછલા વર્ષે દાખલ નાદારી અરજીમાં સંશોધન બાદ મામલામાં પોતાની અંતિમ દલીલો આપી. એસબીઆઈ સિવાય બેન્કોના આ સમૂહમાં બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક લિમિટેડ, આઈડીબીઆઈ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, યૂકો બેન્ક, યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને જેએમ ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. જજ બ્રિગ્સે કહ્યુ હતુ કે તે હવે વિગતો પર વિચાર કરશે અને આવનારા સપ્તાહમાં યોગ્ય સમય પર નિર્ણય આપશે. 


નોંધપાત્ર વાત એ છે કે વિજય માલ્યા પર તેમની નાદાર કિંગફિશર એરલાઇન્સને લગતી 9,000 કરોડ રૂપિયાની બેંક લોન ઇરાદાપૂર્વક નહીં ચુકવવાનો આરોપ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube