નવી દિલ્હી: 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરની ટીકાઓ ભોગવી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનથી આવતા નાગરિકોના વિઝાની સમય મર્યાદાને ઘટાડી દીધી છે. નવા નિયમ મુજબ હવે અમેરિકા આવવા માંગતા પાકિસ્તાની નાગરિકોને માત્ર 3 મહિનાના વિઝા જ મળશે. અગાઉ 5 વર્ષના મળતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું, 'તમામ વિકલ્પો' ખુલ્લા!


અત્રે જણાવવાનું કે હાલ પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ છે. પુલવામા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 30 જવાનો શહીદ થયા હતાં. જેને પગલે ભારતે પાકિસ્તાન પ્રત્યે આકરું વલણ અપનાવેલું છે. અમેરિકા પણ ભારતની આતંક વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે છે. દુનિયાના દેશોનું ભારતને સમર્થન છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...