નવી દિલ્હી: પાકિસ્તાની કંપની હમદર્દે ભારતમાં રૂહ અફઝાની આપૂર્તિ માટે નવી ઓફર મૂકી છે. કંપનીએ આ પ્રસ્તાવ પવિત્ર મુસ્લિમ રમજાન દરમિયાન ગરમીમાં તાજગી લાવનારા આ શરબતની અછત વર્તાતા મીડિયા રિપોર્ટ બાદ મૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાના વિસ્ફોટોમાં 200 બાળકોએ ગુમાવ્યાં સ્વજન, કેટલાક તો એક માત્ર કમાનારા હતાં


એક ભારતીય સમાચાર સાઈટ પરના લેખ પર પ્રતિક્રિયા આપતા હમદર્દ પાકિસ્તાનના મુખ્ય કાર્યકારી ઉસ્મા કુરૈશીએ રૂહ અફઝા શરબતને વાઘા સરહદેથી ભારતમાં મોકલવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. 


એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, "અમે આ રમજાન દરમિયાન ભારતમાં રૂહ અફઝા તથા રૂહ અફ્ઝાગોની આપૂર્તિ કરી શકીએ છીએ. જો ભારત સરકાર તરફથી મંજૂરી મળે તો અમે વાઘા બોર્ડરથી ટ્રકોને સરળતાથી મોકલી શકીએ છીએ."


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...