નવી દિલ્હી: પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં થયેલી અનૌપચારિક શિખર વાર્તાને ખુબ સફળ માનવામાં આવી રહી છે. તેનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે શિખર વાર્તાના થોડા દિવસ બાદ જ ચીન તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને મોટું નિવેદન આવ્યું છે. ચીને કહ્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં 'રચનાત્મક ભૂમિકા' ભજવશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ 13 ઓક્ટોબરના રોજ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની સાથે ચીનના સંબંધ સમાન્તર અને એક સાથે વિક્સિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના વિદેશ મંત્રાલયે તેને વધુ સ્પષ્ટ કરતા કહ્યું કે ચીનને પૂરી આશા છે કે ભારત અને પાકિસ્તાન પરસ્પર સંબંધોમાં સુધાર કરશે. સરકારી સમાચાર એજન્સીએ વાંગના હવાલે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની સાથે ચીનના સંબંધ કોઈ ત્રીજા દેશને લક્ષિત કે પ્રભાવિત કર્યા વગર સમાન રૂપથી સાથે સાથે આગળ વધી શકે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...