World Wildlife Day: વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે 3જી માર્ચે વન્યજીવોની વિશાળ વિવિધતાની હાજરીની પ્રશંસા કરવા અને વૈશ્વિક સ્તરે વન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઉદ્દેશ્ય?
પૃથ્વી પરના દરેક જીવને જીવન જીવવાનો અધિકાર છે. પરંતુ દુર્લભ વૃક્ષો, દુર્લભ પ્રાણીઓ, વૃક્ષોની પ્રજાતિઓ કેટલાક વિકૃત લોકો દ્વારા તસ્કરી કરવામાં આવે છે. તેને રોકવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તદનુસાર, દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે.  વન્યજીવોનું શોષણ વર્ષોથી એક ગંભીર મુદ્દો બની ગયો છે અને જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો તેની મોટી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક અસરો પડશે. 



આ પણ વાંચો:
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી
પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર


આ વખતે થીમ શું છે?
દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ 2023 ની થીમ "Partnership for wildlife conservation" છે. આ થીમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો છે કે જેઓ વન્યજીવોના સંરક્ષણ માટે પગલાં લઈ રહ્યા છે અને એક ફરક લાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, "આ આવતા વર્ષે, સંયુક્ત રાષ્ટ્ર એક વિશેષ ભાગીદારીની ઉજવણી કરી રહ્યુ છે કે જે વન્ય જીવો અને વનસ્પતિના નાશપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર કન્વેંશનની 50મી વર્ષગાંઠ છે. આ કન્વેંશન સુનિશ્ચિત કરવા માટે સરકારો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય કરાર છે કે જંગલી પ્રાણીઓ અને છોડના નમુનાઓમાં આંતરરાષ્ટ્રીય વેપારથી પ્રજાતિઓના અસ્તિત્વને જોખમમાં મૂકે નહીં. આજે, તે  પ્રાણીઓ અને છોડની 37,000 થી વધુ પ્રજાતિઓને વિવિધ ડિગ્રીઓનું રક્ષણ પૂરું પાડે છે..



શું છે તેનું મહત્વ?
વિશ્વ વન્યપ્રાણી દિવસની ઉજવણીનું મહત્વ લોકોને શિક્ષિત કરવા, વન્યપ્રાણી સમસ્યાઓ સંબંધિત વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે જરૂરી પગલાં લેવા અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓની ઉજવણીકરવાનો છે. વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે આપણા જીવન અને ગ્રહને બચાવવા માટે ઉજવવામાં આવે છે. તે વિશ્વના સ્વાસ્થ્યમાં તમામ જંગલી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના યોગદાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે.


આ પણ વાંચો:
ગુજરાતમાં કોંગ્રેસ મહિલા નેતા દારૂના ધંધામાં મદમસ્ત, વિદેશી બ્રાન્ડ મંગાવતી અને પછી.
અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર, મેઘાલયમાં NPP સાથે કરશે ગઠબંધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube