ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે રેલવે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ

Indian Railway Rules: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે..દરરોજ હજારો ટ્રેનો દોડે છે જેમાં લાખો યાત્રીકો મુસાફરી કરે છે. જો કે પ્રવાસમાં ઘણા લોકોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે તો ટ્રેનમાં પણ ભોજનની સુવિધા આપવામાં આવી છે. 

ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે રેલવે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ

Indian Railway Rules: IRCTC ટ્રેનોમાં ખાવા-પીવાની સારી વ્યવસ્થા અને સિસ્ટમમાં સુધારો કરવાની દિશામાં કામ કરે છે.. પરંતુ તેમ છતા કેટલાક કિસ્સામાં ટ્રેનમાં નબળી ગુણવત્તા કે ખરાબ ભોજન મળવાની ફરિયાદો સામે આવતી હોય છે. તો બીજી તરફ રેલવે સ્ટેશન પર વસ્તુની MRPથી વધુ રૂપિયા વસૂલવામાં પણ આવે છે..પરંતુ હવે આવી સમસ્યાની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારી સાથે આવું થાય તો ક્યાં ફરિયાદ કરવાની તેની અમે તમને આપશું માહિતી..

તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ટ્રેનમાં તમને ખરાબ ભોજન આપવામાં આવે કે પછી રેલવે સ્ટેશન પર MRPથી વધુ રૂપિયા તમારી પાસેથી વસૂલ કરવામાં આવે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. રેલવેના નિયમ મુજબ તમે તમારી ફરિયાદ 139 નંબર પર નોંધાવી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ ફોનથી 139 નંબર ડાયલ કરવાના રહેશે..જે બાદ ફરિયાદ નોંધાવવા માટે કેટલીક ટીપ્સને તમારે ફોનો કરવી પડશે..

આ પણ વાંચો:

ભારતીય રેલવેની ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમમાં 139 નંબરથી આવતા કોલમાં વિવિધ ભાષામાં માહિતી આપવામાં આવે છે..સુરક્ષા સહાય, તબીબી સહાય, અકસ્માત સહાય માટે 1 નંબરનું બટન દવવાનું હોય છે..એ જ રીતે રેલ સંબંધિત પૂછપરછ માટે 2, ખોરાક માટે 3, સામાન્ય ફરિયાદો માટે 4, ભ્રષ્ટાચારની ફરિયાદ માટે 5, પાર્સલ અને નૂર સંબંધિત પૂછપરછ માટે 6, IRCTC દ્વારા સંચાલિત ટ્રેનો સંબંધિત માહિતી માટે અને અન્ય માહિતી માટે 7, 9 દબાવી શકો છો. તમારી ફરિયાદનું સ્ટેટસ જાણવા અને ગ્રાહક સુરક્ષા અધિકારી સાથે વાત કરવાની પણ સુવિધા મળે છે.

ચાલુ ટ્રેનમાં પણ નોંધાવી શકો છો ફરિયાદ
જો તમે મુસાફરી કરી રહ્યા છો અને ચાલુ ટ્રેનમાં જ તમારે ફરિયાદ નોંધાવી હોય તો તમારે સીટ નંબર અને પીએનઆર નંબર જણાવવો પડશે. ઉપરાંત જો તમે કોઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર હાજર હો અને તમને ત્યાં આવેલી ખાણીપીણીની દુકાનોમાંથી ખરાબ ખાદ્યપદાર્થો મળે અથવા કોઈ પણ વસ્તુની નિર્ધારિત કિંમત કરતાં વધુ ભાવ લેવામાં આવે તો 139 નંબર ડાયલ કરી ફરિયાદ નોંધાવી શકાશે.

એપ્લિકેશનથી પણ ફરિયાદ થઈ શકે
139 નંબર ઉપરાંત રેલ મદદ એપ્લિકેશનથી પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં તમારે સંબંધીત સ્ટેશનના પ્લેફોર્મ પરના ફૂડ સ્ટોલ અને વેન્ડર સંબંધિત માહિતી રેલવેને આપવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news