રેખા ફક્ત બે મહિના માટે આ અભિનેતાની દુલ્હન બની હતી? જાણો શું આપ્યો હતો જવાબ

Rekha: રેખાનું એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ સિરિયસ અફેર હતું. તે પણ ત્યારે જ્યારે અમિતાભ પરિણીત હતા. અભિનેતાના લગ્ન જયા બચ્ચન સાથે થઈ ચૂક્યા હતા. આ અફેર ઉપરાંત રેખાનું નામ એક અન્ય અભિનેતા સાથે પણ જોડાયું હતું. એવું કહેવાય છે કે રેખાએ તે અભિનેતા સાથે ગૂપચૂપ લગ્ન કર્યા હતા. 

રેખા ફક્ત બે મહિના માટે આ અભિનેતાની દુલ્હન બની હતી? જાણો શું આપ્યો હતો જવાબ

Rekha Love Affair: રેખા બોલીવુડની ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક રહી ચૂકી છે. રેખાએ પોતાના સમયમાં અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે ફિલ્મોની સાથે સાથે રેખા પોતાની પર્સનલ લાઈફ અંગે પણ ખુબ ચર્ચામાં રહેતી હતી. રેખાનું એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ સિરિયસ અફેર હતું. તે પણ ત્યારે જ્યારે અમિતાભ પરિણીત હતા. અભિનેતાના લગ્ન જયા બચ્ચન સાથે થઈ ચૂક્યા હતા. આ અફેર ઉપરાંત રેખાનું નામ એક અન્ય અભિનેતા સાથે પણ જોડાયું હતું. એવું કહેવાય છે કે રેખાએ તે અભિનેતા સાથે ગૂપચૂપ લગ્ન કર્યા હતા. 

સિમિ ગરેવાલે પૂછ્યો હતો પ્રશ્ન
અભિનેત્રી સિમિ ગરેવાલના ચેટ શો રેન્દેવુ વિથ સિમિ ગરેવાલમાં એકવાર રેખા ગેસ્ટ તરીકે આવી હતી. આ દરમિયાન સિમિએ રેખાને તેમના અને બોલીવુડના અભિનેતા વિનોદ મહેરાના લગ્ન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. રેખાએ ત્યારે સિમિના સવાલ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે આમ તો કાલે તમે કહેશો કે મારા લગ્ન ફારુક અબ્દુલ્લા સાથે થયા છે? કોઈ કઈ પણ બોલી શકે છે પરંતુ હું આ સવાલનો જવાબ આપવા માંગતી નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રેખા અને વિનોદ મહેરાએ ગૂપચૂપ લગ્ન કર્યા હતા જે માત્ર બે મહિના ટક્યા હતા અને ત્યારબાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. 

વિવાદમાં રહ્યા હતા લગ્ન
રેખાએ દિલ્હીના મોટા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને વર્ષની અંદર જ મુકેશ અગ્રવાલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી  લીધી હતી. એવું કહેવાય છે કે મુકેશ અગ્રવાલ લગ્ન બાદથી જ ડિપ્રેશનમાં રહેતા હતા. મુકેશના ગયા બાદ રેખા પણ લાંબા સમય સુધી પોતે ડિપ્રેશનમાં રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news