પોતાના જન્મદિવસ પર જ આલિયાની મમ્મીએ પોતાના #MeTooથી બધાને ચોંકાવ્યા

 બોલિવુડમાં છેલ્લા કેટલાક દિવસોથી તોફાનની જેમ આવેલ #MeToo અભિયાન હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જ્યાં થોડા દિવસો પહેલા જ આ અભિયાનમાં સુભાષ ઘાઈ, વિકાસ બહલ અને સાજિદ ખાન જેવા બોલિવુડના અનેક મોટા નામ સામે આવ્યા, તો હજી પણ તેમાં નવા નામોનો ખુલાસો થઈ રહ્યો છે. હવે #MeTooમાં બોલિવુડ એક્ટ્રેસ સોની રાજદાને બોલિવુડનો ડાર્ક ફેસ બતાવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજની સુપરહીટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની મા અને જાણીતા ફિલ્મકાર મહેશ ભટ્ટની પત્ની સોની રાજદાન સાથે પણ રેપનો પ્રયાસ થયો છે. 
પોતાના જન્મદિવસ પર જ આલિયાની મમ્મીએ પોતાના #MeTooથી બધાને ચોંકાવ્યા

નવી દિલ્હી : બોલિવુડમાં છેલ્લા કેટલાક દિવસોથી તોફાનની જેમ આવેલ #MeToo અભિયાન હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જ્યાં થોડા દિવસો પહેલા જ આ અભિયાનમાં સુભાષ ઘાઈ, વિકાસ બહલ અને સાજિદ ખાન જેવા બોલિવુડના અનેક મોટા નામ સામે આવ્યા, તો હજી પણ તેમાં નવા નામોનો ખુલાસો થઈ રહ્યો છે. હવે #MeTooમાં બોલિવુડ એક્ટ્રેસ સોની રાજદાને બોલિવુડનો ડાર્ક ફેસ બતાવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજની સુપરહીટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની મા અને જાણીતા ફિલ્મકાર મહેશ ભટ્ટની પત્ની સોની રાજદાન સાથે પણ રેપનો પ્રયાસ થયો છે. 

આજે પોતાના જન્મદિવસે સોની રાજદાને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ધ ક્વિંટ સાથે થયેલી વાતચીતમાં સોનીએ જણાવ્યું કે, હું ભાગ્યશાળી છું કે મારી સાથે કંઈ પણ ખરાબ ન થયું, પણ મેં હેરેસમેન્ટ સહન કર્યું જ છે. સોની રાજદાને એક ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે હું ફિલ્મના શુટિંગ માટે સેટ પર હતી અને કોઈએ મારી સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મારું નસીબ સારું હતું કે, તે વ્યક્તિ પોતાના હેતુમાં સફળ ન થઈ શક્યો. 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ ઘટનાની રિપોર્ટ તેમણે કેમ ન કરી, તો તે બોલ્યા કે, તમે જાણો જ છો કે તે દિવસોમાં હું વધુ બોલતી ન હતી. હકીકતમાં આવું કહેવું અજીબ લાગતું હતું. પરંતુ મને અહેસાસ થયો કે જો હું મારું મોઢું ખોલીશ, તો તે વ્યક્તિ બહુ જ મોટી મુસીબતોમાં ફસાઈ જશે. એટલું જ નહિ, તેનો પરિવાર અને નાના બાળકો મારી નજરની સામે આવી રહ્યા હતા. તે સમયે મેં વિચાર્યું કે, મારું કોઈ નુકશાન થયું ન હતું, તેથી મેં ફરિયાદ કરવાનું ટાળ્યું. પરંતુ તે ઘટના બાદ મેં ક્યારેય એ વ્યક્તિ સાથે વાત ન કરી, અને સંપર્ક પણ ન રાખ્યો.  

આ વિશે વાત કરતા સોનીએ કહ્યું કે, જો આજના સમયમાં મારી સાથે આવું થાત તો હું ચૂપ ન બેસત. હું ફરિયાદ કરતી. તેમણે આલોક નાથ વિશે વાત કરતા કહ્યું કે, તેમનો વ્યવહાર હંમેશાથી સંદિગ્ધ રહ્યો છે. મેં અનેકવાર નોટિસ કર્યું છે કે, દારુ પીધા બાદ નશામાં તેઓ બદલાઈ જાય છે. મને યાદ છે કે, એકવાર તેઓ ઘૂરીઘૂરીને લાંબા સમયથી મારી સામે જોતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news