લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જનતા બતાવશે એક મતની તાકાત

Loksabha Election 2024: લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જનતા બતાવશે એક મતની તાકાત

Loksabha Election 2024: ગુજરાતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ અહેવાલમાં જાણો કે કેવી રીતે ગુજરાતમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  • લોકશાહીના મહાઉત્સવની ગણાતી ઘડીઓ
  • ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી
  • મતાધિકારના ઉપયોગથી જનતા બતાવશે એક મતની તાકાત

ગુજરાતના માથે સફેદ કલંક! સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

જી હાં, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આગામી 7મી મેએ મતદાન યોજાશે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જે અંતર્ગત નો યોર પોલિંગ સ્ટેશન ઝુંબેશ અંતર્ગત મતદાન મથકની જાણકારી આપવામાં આવી.. શહેરના મતદારોએ મતદાન મથકની મુલાકાત પણ લીધી. મતદારોને બુથ પર જ મતદાનની સ્લિપ પણ આપવામાં આવી. મતદારો માટે ચૂંટણી પંચના આ સકારાત્મક પ્રયાસથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પહેલાં પણ વડોદરા શહેરમાં મતદારોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વડોદરા કલેક્ટર કચેરીએથી શહેરમાં બે વિશાળ કઠપૂતળી ફરતી મુકવામાં આવી હતી જેમાં વોટ વડોદરા વોટના વાક્યો લખવામાં આવ્યા હતા. ન માત્ર ચૂંટણી પંચ પરંતુ મતદારોમાં ઉત્સાહ લાવવા માટે વિવિધ એકમો પણ કાર્યરત થયા છે.. ગાંધીનગરમાં મતદાન કર્યા બાદ રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનો સહિતના વેપારીઓએ મતદારોને 7 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરના 70થી વધુ વેપારીઓએ આ નવતર પ્રયોગમાં સહયોગ આપવા સહમતી બતાવી છે..

આ પહેલાં પંચમહાલમાં પણ વેપારી એસોસિએશનએ મોટી જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાનનું નિશાન બતાવશે તેને વિવિધ પ્રોડક્ટ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. સોના ચાંદીના ઘરેણાંના વેપારી મેકિંગ ચાર્જીસમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રાજકોટ મેડિકલ એસોસિએશને વધુ મતદાન થાય તે માટે અનોખી પહેલ કરી છે. રાજકોટના ડૉક્ટર્સ દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં મતદાન જાગૃતિને સંદેશ આપી રહ્યા છે. પ્રિસ્ક્રીપ્શન પર મતદાન જાગૃતિનો સ્ટેમ્પ લગાવી લોકોને મતદાનની સમજ આપી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના રાજકોટ પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન કાંત જોગાણીએ આ નવતર અભિગમ અપનાવ્યો છે.

મતદાનને લઈને ગુજરાતની જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ પ્રકારના ડિસ્કાઉન્ટ અને જાહેરાતથી મતદાનમાં વધારો થશે. એવામાં આગામી 7મી મેએ ગુજરાતના કેટલા ટકા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એ તો આવનારો સમય જ બતાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news