રિયાની જામીન અરજી પર સુનાવણી આજે, વાંચો સુશાંત વિશે શું-શું દાવા કર્યા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં આજે સુનાવણી થશે.

રિયાની જામીન અરજી પર સુનાવણી આજે, વાંચો સુશાંત વિશે શું-શું દાવા કર્યા

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં આજે સુનાવણી થશે. વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી ચક્રવર્તીની જામીન અરજી પર ગઇકાલે સુનાવણી થવાની હતી પરંતુ મુંબઇમાં ભારે વરસાદના લીધે હાઇકોર્ટએ કાર્યવાહી સ્થગિત કરી હતે. આજે સુનાવની થવાની સંભાવના છે. રિયા ચક્રવર્તીએ પોતાની જામીન અરજીમાં કહ્યું કે તે નિર્દોષ એનસીબી 'જાણીજોઇને' તેમના પર અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. 

તેમણે કહ્યું કે તે 'વિચ હંટ'નો શિકાર થઇ છે. હાઇકોર્ટે મંગળવારે દાખલ જામીન અરજીમાં રિયા ચક્રવર્તીને કહ્યું કે તે ફક્ત 28 વર્ષની છે અને એનસીબીની તપાસ ઉપરાંત તે સાથે સાથે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની ત્રણ તપાસ અને 'સમાનાંતર મીડિયા ટ્રાયલ'નો સામનો કરી રહી છે. 

રિયા ચક્રવર્તીસુશાંત સિંહ રાજપૂતડ્રગ્સ કેસસીબીઆઇએનસીબી

તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ, સીબીઆઇ અને ઇડીની તપાસનો હવાલો આપી રહી છે. રિયા ચક્રવર્તીએ કહ્યું કે આ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે છે. તેમણે પોતાના વકીલના માધ્યથી દાખલ અરજીમાં કહ્યું કે કસ્ટડીની અવધિ વધારવાથી તેમની માનસિક સ્થિતિ વધુ બગડી જશે. 

ગાંજાનું સેવન કરતા હતા સુશાંત
રિયા ચક્રવર્તીએ પોતાની અરજીમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ખાસકરીને ગાંજાનું સેવન કરતા હતા, અને તે ત્યારથી તેનું સેવન કરતા હતા જ્યારે તે બંને સંબંધમાં પણ હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક તેમના માટે 'ઓછી માત્રા'માં માદક પદાર્થની ખરીદી કરતી હતી અને ઘણા પ્રસંગો પર તેમના માટે ચૂક્વણી પણ કરી હતી. પરંતુ તે પોતે કોઇપણ ડ્રગ્સ તસ્કરીની સભ્ય નથી. તેમણે દાવો કર્યો કે ફક્ત સુશાંત સિંહ રાજપૂત માદક પદાર્થનું સેવન કરતા હતા. 

હું નિર્દોષ છું અને કોઇ ગુનો કર્યો નથી
અરજીમાં કહ્યું કે (અરજીકર્તા) રિયા ચક્રવર્તી નિર્દોષ છે અને તેમણે કોઇ ગુનો કર્યો નથી. તેમણે અરજીમાં કહ્યું કે તે 'વિંચ-હંટ'નો શિકાર થઇ છે કારણ કે સીબીઆઇ અને ઇડી તેમના વિરૂદ્ધ પુરાવા એકઠા કરવામાં અસફળ રહી અને એનસીબીને તેમને અને તેમના પરિવારને ફસાવવા માટે લાવવામાં આવ્યા. રિયા ચક્રવર્તી પર એનસીબીએ ઘણા આરોપો માટે કેસ દાખલ કર્યો છે, તેમાં માદક પાદાર્થની ગેરકાનૂની તસ્કરીનું વિત્તપોષણ કરવાનું પણ સામેલ છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સ્બ્સટાન્સ (એનડીપીએસ) અધિનિયમની કલમ 27-એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ કલમ આરોપીને જામીન આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 

એનડીપીએસ અધિનિયમ હેઠળ માદક પદાર્થોનું વેચાણ, ખરીદી, નિર્માણ અને અવૈધ તસ્કરીના ગુનામાં છ મહિનાથી માંડીને 20 વર્ષ સુધીની સજા અને કેટલાક હજારથી માંડીને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ગત અઠવાડિયે ન્યાયમૂર્તિ કોતવાલ સામે આ પ્રકારનો તર્ક સૈમુઅલ મિરાંડા અને દીપેશ સાવતંના વકીલોને આપ્યો હતો. આ તમામ કેસમાં સહ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (34) ગત 14 જૂનના રોજ બાંદ્રામાં સ્થિતિ પોતાના આવાસ મૃત મળી આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news