દિવાળીએ ગુજરાતને મળશે સૌથી મોટી ભેટ; BJP નેતા અને સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન

આગામી દિવસોમાં રાજકોટની જનતાને સરકાર તરફથી સારી સારી સગવડો મળવાની શરૂ થઇ જશે. રાજકોટમાં એઇમ્સ હૉસ્પીટલને લઇને ભાજપના નેતા અને સાંસદ મોહન કુંડારિયાએ એક નિવેદનમાં રાજકોટ AIIMS હૉસ્પિટલને ફ્લૂ ફ્લેજમાં ચાલુ થવાની વાત કહેવામાં આવી છે.

દિવાળીએ ગુજરાતને મળશે સૌથી મોટી ભેટ; BJP નેતા અને સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં એઇમ્સ હૉસ્પિટલ અંગે સાંસદ મોહન કુંડારિયાએ મોટું નિવેદન આપ્યું છે. દિવાળી સુધીમાં રાજકોટ AIIMSનું કામ પૂર્ણ થશે. જી હાં ગુજરાતની પહેલી AIIMS જલ્દી જ સંપૂર્ણ રીતે કાર્યરતથવાનું મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું છે. AIIMS શરૂ થતા સૌરાષ્ટ્રના દર્દીઓ સહિત ગુજરાતભરના તમામ દર્દીઓને લાભ થશે. હાલ રાજકોટ એઈમ્સમાં ઓપીડી ચાલું છે એટલે કે આગામી દિવસોમાં ગુજરાતની જનતાને સરકાર તરફથી સારી સારી સગવડો મળવાની શરૂ થઇ જશે.

આગામી દિવસોમાં રાજકોટની જનતાને સરકાર તરફથી સારી સારી સગવડો મળવાની શરૂ થઇ જશે. રાજકોટમાં એઇમ્સ હૉસ્પીટલને લઇને ભાજપના નેતા અને સાંસદ મોહન કુંડારિયાએ એક નિવેદનમાં રાજકોટ AIIMS હૉસ્પિટલને ફ્લૂ ફ્લેજમાં ચાલુ થવાની વાત કહેવામાં આવી છે. રાજકોટ AIIMS હૉસ્પીટલ દિવાળી પૂર્વે ફૂલ ફલેજમાં શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી AIIMS હૉસ્પીટલને ફૂલ ફ્લેજમાં શરૂ થવાને લઇને ચર્ચાઓ થઇ રહી છે.  

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં AIIMS હૉસ્પિટલ ઉપરાંત હીરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી છે, તે પણ આગામી ટૂંક સમયમાં મળશે. આ સિવાય રેલવે ડબલ ટ્રેક કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલે ઇન્સ્પેકશન માટે આવશે. 1લી જુલાઈથી સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જીનથી ટ્રેનો દોડવા લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news