કેન્દ્રીય જળ આયોગની ભરૂચમાં પૂરની ચેતવણી, જિલ્લામાં તૈનાત રહેશે બે NDRFની ટીમ

તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા વધુ એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે. કુલ બે એનડીઆરએફની ટીમ ભરૂચ જિલ્લામાં રહેશે. 
 

કેન્દ્રીય જળ આયોગની ભરૂચમાં પૂરની ચેતવણી, જિલ્લામાં તૈનાત રહેશે બે NDRFની ટીમ

ગાંધીનગરઃ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધતા ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચની સ્થિતિ મુશ્કેલ બની શકે છે. તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા વધુ એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે. કુલ બે એનડીઆરએફની ટીમ ભરૂચ જિલ્લામાં રહેશે. 

કેન્દ્રીય જળ આયોગની ભરૂચમાં પૂરની ચેતવણી
સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે કેન્દ્રીય જળ આયોગે ભરુચમાં પૂરની ચેતવણી આપી છે. જેના પગલે જિલ્લામાં એનડીઆરએફની બે ટીમ તૈનાત રહેશે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. નર્મદાનું જળસ્તર 27 ફુટની સપાટીએ પહોંચ્યું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. 

રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ તૈનાત
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે. વ઼ડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 

રાજ્યમાં અશ્વારોહણની તાલીમ લેવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર   

ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. સરકારની માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 149 રસ્તાઓ બંધ કરવામાં આવી છે. કચ્છમાં એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. તો રાજ્યના 21 હાઈવે પણ બંધ છે. કચ્છમાં આ વર્ષે સીઝનનો 238 ટકા વરસાદ થયો છે. તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. 

રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે રવિવાર અને સોમવારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી સતત થઈ રહેલા વરસાદને પગલે રાજ્યમાં અનેક નદી, તળાવો અને ડેમો છલી ગયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news