રવિવારે ગુજરાતમાં કેસનો આંકડો 14 હજારને પાર, 6412 રિકવર દર્દીઓની સામે કુલ મોત 858

ગુજરાતમાં રવિવારે 394 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો 243 લોકો ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે. કોરોના કેસના વધુ અપડેટ આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ કેસનો આંકડો 1063 પર પહોંચી ગયો છે. અને કુલ મોત 858 થયા છે. તો અમદાવાદમાં આજે અમદાવાદ 187 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 28 લોકોના મોત નિપજ્યાં છે. 

રવિવારે ગુજરાતમાં કેસનો આંકડો 14 હજારને પાર, 6412 રિકવર દર્દીઓની સામે કુલ મોત 858

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રવિવારે 394 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો 243 લોકો ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14063 થઈ ગયો છે. કોરોના કેસના વધુ અપડેટ આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ કેસનો આંકડો 14063 પર પહોંચી ગયો છે. અને કુલ મોત 858 થયા છે. તો અમદાવાદમાં આજે અમદાવાદ 187 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 28 લોકોના મોત નિપજ્યાં છે. 

  • રાજ્યમાં કુલ કેસ : 14063
  • રાજ્યમાં કુલ મોત : 858
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 6412 

જિલ્લાવાઈઝ આજે કેટલા કેસ વધ્યા

  • અમદાવાદ ૨૭૯
  • સુરત ૩૫
  • વડોદરા ૩૦
  • ગાંધીનગર ૧૧
  • ભાવનગર ૧
  • આણંદ ૧
  • રાજકોટ ૫
  • અરવલ્લી ૧
  • મહેસાણા ૨
  • પાંચમહાલ ૨
  • મહીસાગર ૨
  • ખેડા ૩
  • જામનગર ૧
  • સાબરકાંઠા ૧૪
  • દાહોદ ૪
  • વલસાડ ૧

વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે 

જિલ્લાવાઈઝ કુલ કેટલા કેસ થયા
કોરોનાના કેસમાં સતત ટોપ પર રહેલા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આજે નવા 279 કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ 10280 થયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં 1320, વડોદરામાં 836, ગાંધીનગરમાં 221, ભાવનગરમાં 115, બનાસકાંછમાં 99, આણંદમાં 91, રાજકોટમાં 92, અરવલ્લીમાં 99, મહેસાણામાં 101, પંચમહાલમાં 74, બોટાદમાં 56, મહીસાગરમાં 81, ખેડામાં 62, પાટણમાં 71, જામનગરમાં 47, ભરૂચમાં 37, સાબરકાંઠામાં 77, ગીર-સોમનાથમાં 44 અને કચ્છમાં 64 કેસ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news