રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ગુનેગારો બેફામ! UPમાંથી હથિયારો લાવી ગુજરાતમાં હતો મોટો પ્લાન, પરંતુ...

આરોપી શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. 

રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ગુનેગારો બેફામ! UPમાંથી હથિયારો લાવી ગુજરાતમાં હતો મોટો પ્લાન, પરંતુ...

મૌલિક ધામેચા/અમદાવાદ: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો પણ હથિયારોનો સોદો થાય તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યા.

પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 પિસ્ટલ સહિત 7 હથિયાર અને 15 કારતુસ કબ્જે કર્યા છે. આરોપી શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. 

આરોપીની સાથે રબનવાઝખાનની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે બે હથિયાર મળી આવ્યા હતા. આરોપી રબનવાઝખાનની પૂછપરછ દરમ્યાન આ બંને હથિયારો શાદાબઆલમે આપ્યા હોવાનું ખુલ્યું અને વધુ તપાસ કરતા બીજો આરોપી પણ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શાદાબ આલમ કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો. 

એટલું જ નહીં પણ આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ તેમજ  રોંફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા. આરોપી આ હથિયાર યુપીથી લક્ઝરી બસમાં લાવ્યો હોવાની પણ બાબત સામે આવી છે.

હવે પોલીસ એ બાબતે તપાસ શરૂ કરી છે કે હથિયાર ખરીદનાર કોણ હતા.સાથો સાથ યુપીમાંથી આ હથિયાર આરોપીઓને કોણે આપ્યા હતા. આરોપીઓ આ પહેલા કેટલા હથિયારો યુપીથી લાવીને ગુજરાતમાં વેચી ચૂક્યા  છે તે તમામ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news