ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો! પાયાના કાર્યકર્તા પોસ્ટર લગાવશે, અને પક્ષપલટુ સત્તા ભોગવશે

Loksabha Election 2024 : ભાજપ પક્ષપલટુઓ માટે લાલજાજામ પાથરીને પક્ષ માટે ચપ્પલ ઘસી નાંખનારા કાર્યકર્તાઓને મોટી લપડાક આપી છે... કાર્યકર્તાઓ રહી ગયા, અને પક્ષપલટુઓ જશ ખાટી ગયા

ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો! પાયાના કાર્યકર્તા પોસ્ટર લગાવશે, અને પક્ષપલટુ સત્તા ભોગવશે

BJP Candidate List : ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. ગુજરાતમાં આવી રહેલા લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. ત્યારે હવે એવો ઘાટ સર્જાયો છે કે, ભાજપમાં પરસેવો પાડતા પાયાના કાર્યકર્તાઓ પક્ષપલટુઓ માટે પોસ્ટર લગાવશે અને તેમના માટે પ્રચાર કરશે. અને પક્ષપલટુઓ સાંસદ-ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે.

ભાજપે ચૂંટણી પહેલા જોરશોરથી ભરતી મેળો કર્યો. ભાજપે પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરી છે. હવે સ્થિતિ એવી બની છે, ભાજપમાં બહારથી આવનારા જશ ખાટી ગયા, અને ઘરના રહી ગયા. ભાજપમાં પક્ષપલટુઓનો દબદબો વધ્યો છે. કમલમ જાણે પક્ષપલટુઓથી ઉભરાયું છે. તેમાંથી 11 પક્ષપલટુઓને ભાજપે ટિકિટ આપીને મોટું ઈનામ આપ્યું છે. 

હવે એમ કહી શકાય છે કે, ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો. ભાજપ માટે ચપ્પલ ઘસી નાંખનારા કર્યકર્તાઓને કંઈ મળ્યુ નથી. તેમને માત્ર પક્ષપલટુઓની પાછળ રહીને પ્રચાર કરવાનો રહેશે. આ વખતે લોકસભાની ત્રણ બેઠકો પર પક્ષપલટુને ટિકિટ અપાતા ત્રણ સાંસદોને ઘરે બેસવું પડ્યું છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાના ટિકિટ અપાતા ડો.મહેન્દ્ર મુંજપુરા અને દીપસિંહ રાઠોડને ઘરે બેસવુ પડ્યું છે. 

ભાજપમાં કેટલા કોંગ્રેસી?
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2024

 

ભાજપની જીતની હેટ્રિકની નાવડીને પાર કરવી હશે તો કોંગ્રેસના મદદ વગર તે શક્ય નથી તે સ્પષ્ટ દેખાઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો હોય કે પછી લોકસભાની 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક હોય, ભાજપને જીતવા માટે કોંગ્રેસના સહરાની જરૂર છે. આંકડો બતાવે છે કે, એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે. ભાજપમાં પક્ષપલટુ નેતાઓની હારમાળા સર્જાઈ છે. આ વચ્ચે હવે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપને કોંગ્રેસના સહારની જરૂર પડે છે. કોંગ્રેસના ઉમેદવાર વગર ભાજપની જીત શક્ય નથી. એટલે જ ભાજપે લોકસભા પહેલા મોટાપાયે ભરતી મેળો ચાલુ રાખ્યો છે. 

પેટાચૂંટણી પણ કોંગ્રેસીઓના સહારે લડશે ભાજપ
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીના તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે. જે બતાવે છે કે, ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news