જોઈએ છે... જોઈએ છે: ભાજપને ટક્કર આપે એવાં ઉમેદવાર શોધવા કૉંગ્રેસના હવાતિયાં

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસને ચૂંટણી લડવા નથી મળતા ઉમેદવાર.... વડોદરા બેઠક પરથી લડવા અમીબેન રાવત, જશપાલસિંહ પઢિયારનો ઈનકાર... વિધાનસભાની ચૂંટણી હારેલા ઋત્વિજ જોશીએ માગી લોકસભાની ટિકિટ...

જોઈએ છે... જોઈએ છે: ભાજપને ટક્કર આપે એવાં ઉમેદવાર શોધવા કૉંગ્રેસના હવાતિયાં

Loksabha Election : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી શકશે. 4 એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. 26 એપ્રિલે 12 રાજ્યની 88 લોકસભા બેઠક માટે મતદાન થશે અને 4 જૂને તમામ લોકસભા બેઠકનું પરિણામ આવશે. ત્યારે ગુજરાત કૉંગ્રેસે હજીપણ 7 લોકસભા ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને નવસારી લોકસભા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે ગુજરાતમાં 17 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે બે બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં આપી છે. પરંતું હજુ સુધી સૌરાષ્ટ્રની જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદ પૂર્વ, જ્યારે મધ્ય ગુજરાતની વડોદરા અને દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક બાકી છે. 

કોંગ્રેસ હજી ઉમેદવારોના નામ નક્કી કરી રહ્યું નથી. સેન્ટ્રલ ઈલેકશન કમિટીમાં નામો પર મહોરની શક્યતા હતી, પરંતું કોંગ્રેસ હજી સુધી નામ નક્કી કરવામાં સફળ નીવડ્યુ નથી. એક તરફ ઢગલાબંધ નેતાઓ ભાજપમાં ભળી ગયા છે, તો બીજી તરફ અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ચૂંટણી ખર્ચ પોસાય તેમ ન હોવાથી ઉમેદવારોએ પાછીપાની કરી છે.

7 બેઠકો પર સંભવિતોના નામ

  • મહેસાણામાં પાટીદાર વર્સીસ ઠાકોરનો જંગ જોવા મળે એવી શક્યતા. મહેસાણામાં ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામ પર બની શકે છે સહમતિ
  • સુરેન્દ્રનગરમાં કોળી નેતા પુંજાભાઈ વંશ અથવા તો ઋત્વિજ મકવાણાના નામ
  • પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા ઇન્કાર કર્યા બાદ પસંદગી પેચીદી બની છે. 
  • રાજકોટમાં હિતેશ વોરા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુના નામ સૌથી આગળ
  • જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અથવા તો જલ્પાબેન ચુડાસમાના નામ પર ચર્ચા જારી
  • નવસારીથી શૈલેષ પટેલ (નવસારી જિલ્લા પ્રમુખ) અથવા નૈષધ દેસાઈના નામ ચર્ચામાં છે. નવસારી લોકસભામાં અન્ય રાજ્યના મતદારો વધુ હોવાથી પરપ્રાંતીયની પસંદગી પર પણ ચર્ચા જારી
  • વડોદરા જયપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના નામો
  • અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજે કરી ટિકિટની માંગણી છે. પાર્ટીની પાટીદાર આગેવાનોના નામો પર ચર્ચા જારી

ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ

વડોદરામાં કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી
વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયારે ના પાડી છે. એક તરફ ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી જેવા કોંગ્રેસના નેતાઓ ટિકિટ માંગી રહ્યાં છે. પરંતું ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. તેથી ભાજપ ઉમેદવારને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા ચાલી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news