પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 માછીમારોને મુક્ત કરાયા, માછીમાર પરિવારોની દિવાળી સુધરી

માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.    

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 માછીમારોને મુક્ત કરાયા, માછીમાર પરિવારોની દિવાળી સુધરી

ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવાળી આવતા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને પણ મળ્યા ખુશીના સમાચાર. તેમના પરિવારોની પણ લાંબા સમયથી જોવાતી આતુરતાનો આવ્યો અંત. દિવાળીના તહેવાર સમયે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવાયો. જેને પગલે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 માછીમારોના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા.

ક્યાના કેટલાં માછીમારોને મુક્ત કરાયા?
માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.    

તાજેતરમાં જ બીમારીના કારણે પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. ભુપત વાળાના મૃતદેહને દુદાણા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. દુદાણા ગામના માછીમારનું 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.                        

ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અવસાન પામેલા માછીમાર ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. નોંધનીય છે કે તાજેતરમાં જ પોરબંદરના દરિયામાં બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ ઓપરેશનમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં બોટનું  ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. માછીમારોના આઈ.ડી.પ્રુફ સહિતના ચકાસણી કરવામાં આવી હતી. તો સાથો સાથ માછીમારોને પણ દરિયાઈ સુરક્ષાને લઈ ને જાગૃત કરવામાં આવ્યા હતા. ઓપરેશન સાગર સુરક્ષા કવચને લઈ પોરબંદરના અસ્માતી ઘાટ નજીક પણ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા.                                

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news