Cyclone Biparjoy: વિકરાળ સ્વરૂપ લઈને આગળ વધી રહ્યું છે સમુદ્રી ચક્રવાત 'બિપરજોય', NDRF ની વધુ 4 ટીમ ડિપ્લોય કરાશે

​​Biporjoy Cyclone Latest News: ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ છે. બિપરજોય તોફાન ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા દરમિયાન 130થી લઈને 150 કિમી સુધીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

Cyclone Biparjoy: વિકરાળ સ્વરૂપ લઈને આગળ વધી રહ્યું છે સમુદ્રી ચક્રવાત 'બિપરજોય', NDRF ની વધુ 4 ટીમ ડિપ્લોય કરાશે

અમદાવાદઃ સમુદ્રી ચક્રવાત બિપરજોય (Biporjoy) વિકરાળ થઈને ગુજરાતના સમુદ્રી વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન  વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રી વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોય ખુબ ખતરનાક ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે અને આવનારા દિવસોમાં ગુજરાત અને પાકિસ્તાનને પ્રભાવિત કરી શકે છે. આઈએમડીના અધિકારીઓ અનુસાર તોફાન બુધવારે સવાર સુધી ઉત્તર તરફ વધવાની સંભાવના છે, પછી ઉત્તર-પૂર્વ તરફ વધશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છને પાર કરશે અને જખાઉ પોર્ટની પાસે માંડવી અને કચારી વચ્ચે પાકિસ્તાનના કિનારે ગુરૂવારે બપોર સુધી 125-135 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલનાર એક ગંભીર ચક્રાવતી તોફાનના રૂપમાં બદલી જશે. કચ્છમાં સૌથી વધુ પ્રભાવ પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં એનડીઆરએફની વધુ ચાર ટીમ ડિપ્લોય કરાશે. 

ભારે વરસાદનું અનુમાન
હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી કે બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળે મધ્યમ-ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાઓમાં ગુરૂવારે ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે શુક્રવારે ઉત્તર ગુજરાત અને આસપાસના દક્ષિણ રાજસ્થાનમાં મોટા ભાગના સ્થળે ભારે વરસાદની સંભાવના છે. રવિવારે આઈએમડીએ ભવિષ્યવાણી કરી હતી કે આગામી પાંચ દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ અને આંધ્રના સમુદ્રી વિસ્તારમાં લૂ જારી રહેવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ હરિયાણા-દિલ્હી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં રવિવારથી મંગળવાર સુધી અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, વિદર્ભ, છત્તીસગઢ અને તેલાંગણામાં પણ લૂની સંભાવના છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ચક્રવાતી તોફાન બિપરજોય (Biporjoy)ની ગંભીર ચેતવણી બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું આવી શકે છે. તેને ધ્યાનમાં રાખતા તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. દ્વારકામાં અત્યાર સુધી 1300 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. 

કચ્છથી 400 કિલોમીટર દૂર
બુલેટિનમાં કહેવામાં આવ્યું કે બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે. તો દ્વારકાથી 430, નલીયાથી 430, કરાચીની દક્ષિણેથી 590 કિમો દૂર છે. 14 જૂને સવાર સુધી વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ પોર્ટને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે અને મહત્તમ સતત પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. 

ઝીરો મૂવમેન્ટની ચેતવણી
આઈએમડીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં માછીમારીની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રોકવાની સલાહ આપી છે અને માછીમારોને 15 જૂન સુધી મધ્ય અરબી સમુદ્ર અને સોમવારે ઉત્તર અરબી સમુદ્રમાં સાહસ ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરિયાકાંઠાના અને દરિયાકાંઠાના વિસ્તારો સહિત કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરી જિલ્લાઓમાંથી દરિયાકાંઠાની અને દરિયાકાંઠાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા તેમજ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા આદેશ આપ્યો છે.  IMDએ 15 જૂને કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD એ જણાવ્યું હતું કે દરિયાકાંઠાની નજીકના સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. આ પછી ગુજરાતના બંદરો પર નવ અને 10 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news