સામૂહિક આત્મહત્યા: પિતાએ બે દીકરીઓની કરી હત્યા બાદ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

આણંદમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે, હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે

સામૂહિક આત્મહત્યા: પિતાએ બે દીકરીઓની કરી હત્યા બાદ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

જપ્તવ્ય યાજ્ઞિક/ આણંદ: આણંદમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે, હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા આણંદ શહેર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. આણંદ શહેરમાં રહેતા એક પરિવારમાં પિતા અને બે માસૂમ દીકરીઓના મોત નીપજ્યા છે. પિતાએ પહેલા બે દીકરીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

જો કે, પિતાએ બંને દીકરીઓની હત્યા કરી કેમ આત્મહત્યા કરી તે પાછળનું કારણ અકબંધ છે. ત્યારે આ મામલે આણંદ ટાઉન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટન સ્થળે દોડી આવ્યો હતો. આણંદ ટાઉન પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news