Mass suicide News

સ્યૂસાઈડ નોટમાં સોલંકી પરિવારના અંતિમ શબ્દો : અમે જીવતા કોઈને હેરાન નથી કર્યા....
surat family mass suicide : સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું. પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા. સામુહિક આપઘાત કરનાર મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની એકીસાથે નનામી ઉઠતાં સુરત હિબકે ચઢ્યું હતું. પરંતુ આ પરિવારની સ્યૂસાઈડ નોટ રડાવી દે તેવી છે. મનીષ સોલંકીએ નામ વગર કેટલાક લોકો માટે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો કે તમારું દિલ પણ રડી પડશે. શબ્દોમાં એવુ હતુ કે, અમારા મોત માટે કોઇના નામ લખવા નથી, કુદરત પરચો આપશે.   
Oct 29,2023, 12:09 PM IST

Trending news