વડોદરાનો વધુ એક પરિવાર પરિસ્થિતિ સામે હાર્યો, પિતાએ આખા પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી

Vadoodara News : આર્થિક તંગીને કારણે વડોદરાના પરિવારે મોત વ્હાલુ કર્યું... માતા અને પુત્રનું મોત... પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

વડોદરાનો વધુ એક પરિવાર પરિસ્થિતિ સામે હાર્યો, પિતાએ આખા પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી

Mass Suicide રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આર્થિક તંગીને એક નાનકડો પરિવાર વિખેરાયો છે. વડોદરાના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આત્મહત્યા કરી. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કર્યું હોવાની પ્રાથમિક માહિતી છે. જેમાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મેત નિપજ્યું છે. તો પિતા મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. 

એક સ્થાનિકે જણાવ્યું કે, આ પરિવારમાં ત્રણ જણા હતા. વડીલ, પુત્ર અને માતા. માતા અને પુત્રનું મોત થયુ છે. તેઓની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી. તેઓ અહી પાંચ વર્ષથી ભાડેથી રહેતા હતા. અઠવાડિયાથી તેમની સાથે વાત થઈ ન હતી. મુકેશભાઈ પંચાલ, તેમના પત્નીનું નામ નયનાબેન પંચાલ છે અને 25 વર્ષીય દીકરો મિતુલ પંચાલ છે. આ પરિવાર બહુ બહાર નીકળતો ન હતો.  

આ ઘટના એટલી અરેરાટીભરી છે કે, દરવાજો ખોલીને જોયો તો પુત્રએ ગળે ફાંસો ખાધો હતો. માતાને ઝેર આપ્યું હતું, તો પિતાએ રેઝરથી ગળાના ભાગે બ્લેડ મારી હતી. હાલ, Dcp, acp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. 

25 વર્ષીય યુવક કોઈ કામધંધો કરતો ન હતો 
પાડોશીઓએ જણાવ્યું કે, પંચાલ પરિવારમાં 25 વર્ષનો મિતુલ પંચાલ કોઈ કામ કરતો ન હતો. મિતુલ પોતાના ઘરમાં જ રહેતો હતો, ઘરની બહાર પણ નીકળતો ન હતો. મિતુલ નોકરી કે ધંધો ન કરતો હોવાથી પણ ઘરની આર્થિક હાલત ખરાબ હતી. પરિવાર 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતું હતું. રાવપુરા પિરામિતા રોડ પર આવેલ કાછિયા પોળમાં તમામ લોકો સાથે પરિવારના સારા સંબંધો હતા. પરિવારે આજદિન સુધી કોઈની પાસેથી આર્થિક મદદ નથી લીધી. 

સ્યૂસાઈડ નોટ મળી 
આ કેસમાં પોલીસે તપાસમાં FSL ની મદદ લીધી છે. FSL અધિકારી પણ તપાસ માટે સ્થળ પર પહોંચ્યા છે. પોલીસે પંચાલ પરિવારે આપઘાત કેમ કર્યો તેને લઈ તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના લોકોના નિવેદન લઈ રહી છે. મકાન માલિકની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મુકેશભાઈની સિક્યોરિટીની નોકરી છૂટી ગઈ હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને પંચાલ પરિવાર પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સ્યુસાઈડ નોટમાં મકાન માલિક મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેવું લખ્યું છે. મકાન ખાલી કરવાના ચિંતામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો થયો છે. આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો દિવસ હતો. તાજેતરમાં 1 મહિના અગાઉ વિવેક સિંહા નામના વ્યક્તિએ આ મકાન ખરીદ્યું હતું. જે અગાઉ રાજુ પાંસેરીયાની માલિકીનું મકાન હતું. 

ઉલ્લેખનીય છે કે, હજી થોડા સમય પહેલા જ વડોદરામાં એક માતાએ પોતાની બંને દીકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક તંગીથી કંટાળેલી મહિલાએ પહેલા પોતાની બંને દીકરીઓને મારી હતી. તેના બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં માતાનો જીવ બચી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news