જ્યોતિર્નાથનું સ્ફોટક નિવેદન: ભગવો ઉતારી દેતા તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું, રાજ ભારતીના 15 યુવતીઓ સાથે સંબંધ હતા...

જૂનાગઢના રાજ ભારતી બાપુના આપઘાતનો મામલે વડોદરાના સંત જ્યોતિર્નાથ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે રાજ ભારતી બાપુના કુકર્મોના કારણે આવી નોબત આવી છે. રાજ ભારતી બાપુ મૂળભૂત મુસ્લિમ સંપ્રદાયમાંથી આવ્યા હતા.

જ્યોતિર્નાથનું સ્ફોટક નિવેદન: ભગવો ઉતારી દેતા તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું, રાજ ભારતીના 15 યુવતીઓ સાથે સંબંધ હતા...

રવિ અગ્રવાલ/વડોદરા: જૂનાગઢમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. જે અંગે વડોદરાના સનાતન સંત જ્યોતિર્નાથ મહારાજનું સ્ફોટક નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે રાજ ભારતીના યુવતીઓ સાથેના સંબંધો બહાર આવતા તેમજ દારૂની પાર્ટીઓનાં રહસ્યો ઉજાગર થઇ જતાં આપઘાત કરી લીધો છે. આ અંગે તેમણે રાજ ભારતીને ચેતવ્યા હતા.

જૂનાગઢના રાજ ભારતી બાપુના આપઘાતનો મામલે વડોદરાના સંત જ્યોતિર્નાથ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે રાજ ભારતી બાપુના કુકર્મોના કારણે આવી નોબત આવી છે. રાજ ભારતી બાપુ મૂળભૂત મુસ્લિમ સંપ્રદાયમાંથી આવ્યા હતા. રાજ ભારતી બાપુ ઘણી બધી દીકરીઓ સાથે સંડોવાયેલા હતા. સાધુ પોતાની ચરમસીમા છોડી દે ત્યારે આવું પગલે ભરે એ સ્વાભાવિક છે. દરેક સાધુએ યમ નિયમ સંયમમાં રહેવું જોઈએ. જ્યારે સાધુએ શિષ્ય સાથે મજા ભોગવી હોય ત્યારે બચવા માટે આ ઉપાય કરે છે. 

ડૉ. જ્યોતિર્નાથે જણાવ્યું કે, બે મહિના પહેલાં મેં રાજ ભારતીને ચેતવ્યા હતા કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઇએ. આખરે તેનું પરિણામ ભોગવવું પડ્યું. જે વીડિયો અમારી પાસે જૂન મહિનાથી છે તે અત્યારે છાપરે ચડીને બહાર આવ્યો છે. એક દીકરીએ પોલીસ ફરિયાદની તૈયારી કરી હતી. એક-બે દિવસમાં ફરિયાદ દાખલ થવાની હતી એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. તેથી તેમણે આ પગલું ભર્યું છે. પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે પાપ છાપરે ચડીને પોકારે છે એ કહેવાત સાર્થક થતી દેખાય છે. રાજ ભારતીબાપુ ઘણા સમયથી છકી ગયા હતા. તેઓ દારૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ અને ભગવો ઉતારી હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરતા હતા. આ કોઇક દીકરીથી સહન નહીં થયું હોય એટલે ફરિયાદની પૂર્ણ તૈયારી હતી.

તેમણે જણાવ્યું કે, રાજ ભારતીબાપુથી પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. રાજ ભારતી સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી. જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું, તેવું યુવતીએ જણાવ્યું છે.

ખેતલીયા દાદા આશ્રમના સાધુએ આપઘાત કરી લીધો હતો. આશ્રમના રાજભારતી બાપુની મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાની ક્લીપ વાયરલ થઈ હતી. ત્યારે બદનામીના ડરથી રાજભારતી બાપુએ આપઘાત કરી લીધો. રાજભારતી બાપુ સામે આક્ષેપનો પત્ર પણ વાયરલ થયો હતો. સાધુ સામે પત્રમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કરાયા હતા. જેમાં સાધુ વિધર્મી હોવાનો પણ પત્રમાં દાવો કરાયો હતો. ત્યારે બદનામી થશે તો શુ થશે એ ડરે રાજભારતી બાપુએ આપઘાત કર્યો. 

મહત્વનું છે કે જૂનાગઢમાં આવેલા ઝાંઝરડાના ખેતલીયાદાદા આશ્રમના મહંત રાજભારતી બાપુએ આપઘાત કરીને જીવન ટુંકાવી લીધુ છે. રાજભારતી બાપુના અનેક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાના આરોપ લાગ્યા છે. જેમાં મહિલાઓ સાથે પ્રેમાલાપ કરતા હોય તેવી અનેક ક્લીપો પણ વાયરલ થઈ છે. સાથે જ ખેતલીયાદાદા આશ્રમના નામે એક લેટર પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપઘાત કરનાર સાધુ સામે અનેક આક્ષેપ કરાયા છે. જેમાં એમ પણ કહેવાયુ છે કે આપઘાત કરનાર સાધુ વિધર્મી છે અને ધર્મ પરિવર્તન કરીને સાધુ બન્યો છે. એટલું જ નહીં સાધુએ સાધુતાને કલંક લગાવી અનેક ભોળી મહિલાઓને ફસાવી તેમની સાથે અનૈતિક સંબંધો રાખ્યા હોવાનો દાવો કરાયો છે. 

rajbharti_bapu_zee2.jpg

તો બીજી તરફ, રાજભારતીની જે તસવીરો વાયરલ થઈ છે તે ચોંકાવનારી છે. જેમાં તેઓ સિગારેટ પીતા, દારૂ પીતા નજરે આવી રહ્યાં છે. જેને કારણે રાજભારતી બાપુને બદનામ થવાનો ડર થયો હશે.

પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા
ઓડિયો ક્લીપ સાથે જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં રાજભારતી બાપુ પર અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. આ પત્રમાં રાજભારતી બાપુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સાધુ વિધર્મી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજભારી બાપુને અનેક મહિલાઓ સાથે ગેર સબંધ હોવાનો ઉલ્લેખ પત્રમાં કરેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news