એક વેઇટર જે 6 વખત UPSC એક્ઝામમાં ફેલ થયો, તો પણ આ રીતે બની ગયો IAS અધિકારી, જાણો કહાની

UPSC Exam IAS Officer K Jaiganesh: IAS મેન્સમાં સ્થાન મેળવ્યું હોવા છતાં, જયગણેશના નબળા અંગ્રેજી ના કારણે ફાઇનલ ઇન્ટરવ્યુમાં તેની સફળતામાં અવરોધ ઉભો કર્યો. કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના તેણે પ્રયત્ન ચાલુ રાખ્યા.

એક વેઇટર જે 6 વખત UPSC એક્ઝામમાં ફેલ થયો, તો પણ આ રીતે બની ગયો IAS અધિકારી, જાણો કહાની

Who Is K Jaiganesh: આઇએએસ અધિકારી (IAS Officer) બનવું એ ઘણા લોકોનું સપનું હોય છે, જેના માટે વર્ષોના સમર્પણ અને તૈયારીની જરૂર હોય છે. અસફળતાઓ અને મુશ્કેલીઓ હોવા છતાં, કેટલાક લોકો તેમના સપના પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોઈપણ વ્યક્તિની સખત મહેનતનો પુરાવો ત્યારે મળે છે જ્યારે તે બધી મુશ્કેલીઓને પાર કરીને પોતાના મુકામ પર પહોંચે છે. આવું જ કંઈક તમિલનાડુના કે. જયગણેશે કર્યું છે. તમિલનાડુના વતની કે જયગણેશે કઠિન UPSC પરીક્ષા પાસ કરીને અવરોધો તોડી નાખ્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે સમર્પણ કોઈપણ પડકારને જીતી શકે છે.

સફળતા માટે જયગણેશે કરી સખત મહેનત 
વેલ્લોર જિલ્લાના વિનવમંગલમ ગામના સાધારણ પરિવારમાં જયગણેશના ઉછેરે તેમની યાત્રાનો પાયો નાખ્યો. UPSC 2007ની પરીક્ષામાં 156મો રેન્ક મેળવનાર જયગણેશ માટે ગરીબીમાંથી ઉછરીને IAS ઓફિસર બનવું સરળ નહોતું, પરંતુ તે દ્રઢતાની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. જયગણેશની શૈક્ષણિક સફર ગામડાની શાળામાંથી શરૂ થઈ હતી, જ્યાંથી તેણે 91% માર્ક્સ સાથે પોલિટેકનિક અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેણે આગળ થાનથાઇ પેરિયાર સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

વેઈટરનું કામ કરવું પડ્યું અને પછી
જ્યારે તેઓ કામ માટે બેંગ્લોર ગયા ત્યારે જયગણેશે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો, અને માસિક માત્ર રૂ. 2500 કમાતા હતા. જો કે, આનાથી IAS પરીક્ષાની તૈયારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં કોઇ ઘટાડો જોવા મળ્યો નહી. IAS ની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જયગણેશે બેંગ્લોરમાં તેમની નોકરી છોડી દીધી, અને અભ્યાસ સામગ્રી ખરીદવા માટે તેમના પિતાના 6,500 રૂપિયાના મહેનતથી કમાયેલા બોનસનો ઉપયોગ કર્યો અને કોચિંગ સેન્ટરની નોટ્સમાં રોકાણ કર્યું. IAS પ્રિલિમ્સમાં પ્રારંભિક પ્રયાસો અસફળ સાબિત થયા હતા, પરંતુ જયગણેશની દ્રઢતા અટલ હતી. તેણે 'કોમ્પ્યુટર ક્લાર્ક' અને 'વેટર' તરીકે પણ કામ કર્યું.

છેલ્લા પ્રયાસમાં આ રીતે મળી સફળતા
જગણેશે સમાજશાસ્ત્રના શિક્ષક તરીકેની ભૂમિકાઓ સંભાળી અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં જોડાયા. તેમના છેલ્લા પ્રયાસમાં જયગણેશનું અતૂટ સમર્પણ સફળતામાં પરિણમ્યું. ઈન્ટરવ્યુમાં તમિલ રાજકારણ, ઈતિહાસ અને સિનેમાની ચર્ચા કરીને તેણે સારું પ્રદર્શન કર્યું અને 156મો રેન્ક હાંસલ કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news