Exclusive: શત્રુઘ્ન સિન્હાનું 'સ્ફોટક' નિવેદન કહ્યું- 'આખા દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરું છું પરંતુ...'

ફિલ્મ અભિનેતા અને પટણા સાહિબથી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિન્હા પર એવા આરોપ લાગી રહ્યાં છે કે તેઓ કોંગ્રેસમાં રહીને પણ પત્ની પુનમ સિન્હાનો પ્રચાર કરી રહ્યાં છે, જે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે.

Exclusive: શત્રુઘ્ન સિન્હાનું 'સ્ફોટક' નિવેદન કહ્યું- 'આખા દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરું છું પરંતુ...'

લખનઉ: ફિલ્મ અભિનેતા અને પટણા સાહિબથી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિન્હા પર એવા આરોપ લાગી રહ્યાં છે કે તેઓ કોંગ્રેસમાં રહીને પણ પત્ની પુનમ સિન્હાનો પ્રચાર કરી રહ્યાં છે, જે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસી નેતાઓએ શત્રુઘ્ન સિન્હા પર આરોપ લગાવ્યો છે કે તેઓ લખનઉમાં પાર્ટી ધર્મ નહીં પરંતુ પત્ની ધર્મ નીભાવી રહ્યાં છે. લખનઉથી કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે તો ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે શત્રુઘ્ન સિન્હાએ ભલે કોંગ્રેસ જોઈન કરી હોય પરંતુ હજુ તેઓ આરએસએસના એજન્ટ છે. 

ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં શત્રુઘ્ન સિન્હાએ આ આરોપો પર સ્પષ્ટતા કરી છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે પરંતુ લખનઉને ફક્ત એક સ્પેશિયલ કેસ સમજવો જોઈએ. શત્રુઘ્ન સિન્હા એ પણ કહે છે કે જ્યારે તેમની પત્નીને લખનઉથી ટિકિટ અપાઈ તો આ મામલો રાહુલ ગાંધીની પણ જાણમાં હતો અને બધાની સહમતિથી જ આ નિર્ણય લેવાયેલો છે. 

સિન્હાને જ્યારે આરોપો પર સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસમાં રહીને પણ તેઓ અખિલેશ યાદવને વડાપ્રધાન તરીકે જુએ છે અને તેમણે અખિલેશ યાદવના ખુબ વખાણ પણ કર્યાં તો તેમણે જવાબ આપતા કહ્યું કે અખિલેશ યાદવમાં અનેક ગુણો છે. એ જણાવો કે પ્રદેશનો વિકાસ કોણે કર્યો? શત્રુઘ્ન સિન્હા માયાવતીના પણ ખુબ વખાણ કરે છે. સિન્હાએ કહ્યું કે જે સૌથી મોટા પક્ષના નેતા હોય તે વડાપ્રધાન બને છે અને રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવાના વિરોધમાં તેઓ ક્યારેય રહ્યા નથી. 

જુઓ LIVE TV

તેમણે પોતાને વિદ્રોહી હોવાના આરોપ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ વિદ્રોહી નથી પરંતુ સૈદ્ધાંતિક છે અને તેઓ સિદ્ધાંતોની લડાઈ લડે છે. કોંગ્રેસ પાર્ટીમાં રહીને પણ ભલે તેઓ સમાજવાદી પાર્ટીનો પ્રચાર કરતા હોય પરંતુ તેઓ કોંગ્રેસ છોડસે નહીં અને કોંગ્રેસના સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. 

શત્રુઘ્ન સિન્હાએ એવો પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છબીને ચમકાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને  બનારસમાં જે રીતે ઉમેદવારીપત્ર ભરતા અગાઉ રોડ શો કરાયો આખરે તે પૈસા ક્યાંથી આવ્યાં અને આ બધાનો હિસાબ વડાપ્રધાને આપવો પડશે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ દેશભરમાં કોંગ્રેસનો જ પ્રચાર કરી રહ્યાં હોય પરંતુ લખનઉમાં તો તેઓ ફક્ત પત્નીનો જ પ્રચાર કરશે અને બીજા કોઈનો પ્રચાર કરી શકે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news