Afghanistan: તાલિબાનના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી બહાર પાડી, ભારતીયો તત્કાળ અફઘાનિસ્તાન છોડે

ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાના પગલે દેશ પાછા ફરવાની સલાહ આપી છે.

Afghanistan: તાલિબાનના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી બહાર પાડી, ભારતીયો તત્કાળ અફઘાનિસ્તાન છોડે

નવી દિલ્હી: ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાના પગલે દેશ પાછા ફરવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસ તરફથી કહેવાયું છે કે આ અગાઉ કે દેશ તરફથી અફઘાનિસ્તાન માટે કોમર્શિયલ એર સર્વિસ બંધ થાય તત્કાળ મુસાફરીની વ્યવસ્થા કરી લો. 

ભારતીય દૂતાવાસે એડવાઈઝરે બહાર પાડી
કાબુલમાં ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલી ભારતીય કંપનીઓને દેશથી હવાઈ મુસાફરી સેવાઓ બંધ થાય તે પહેલા પોતાના ભારતીય કર્મચારીઓને તરત પાછા બોલાવવાની સલાહ આપી. નવી એડવાઈઝરીમાં દૂતાવાસે કહ્યું કે 29 જૂન અને 24 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલી સિક્યુરિટી એડવાઈઝરી હજુ પણ યથાવત છે. દૂતાવાસે કહ્યું કે જેમ જેમ અફઘાનિસ્તાનના અનેક ભાગોમાં હિંસા વધી છે, અનેક પ્રાંતો અને શહેરોમાં કોમર્શિયલ હવાઈ સેવાઓ બંધ થઈ રહી છે. 

પત્રકારોને પણ સલાહ
સરકારી આંકડા મુજબ હાલ લગભગ 1500 ભારતીયો અફઘાનિસ્તાનમાં રહે છે. દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં અફઘાન કે વિદેશી કંપનીઓ માટે કામ કરનારા ભારતીય નાગરિકોએ તરત પોતાની કંપનીઓને અપીલ કરવી જોઈએ કે તેઓ ભારતની મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે. દૂતાવાસે કહ્યું કે આ સલાહ એ ભારતીય પત્રકારો માટે પણ લાગુ છે જે અફઘાનિસ્તાનમાં તાજા ઘટનાક્રમને કવર કરવા માટે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news