Jammu Kashmir: આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, 2 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષાદળોના 2 જવાનો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલો શ્રીનગરની હરી સિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો. 

Jammu Kashmir: આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, 2 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષાદળોના 2 જવાનો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલો શ્રીનગરની હરી સિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો. 

અમીરાકદળ વિસ્તારમાં થયો આતંકી હુમલો
મળતી માહિતી મુજબ આજે બપોરે સુરક્ષાદળોના જવાનો શ્રીનગરના અમીરાકદળ વિસ્તારમાં ડ્યૂટી કરી રહ્યા હતા. ત્યારે હરી સિંહ હાઈ સ્ટ્રીટ એરિયામાં આતંકીઓએ સુરક્ષાદલોની પોસ્ટ પર ગ્રેનેડ ફેંક્યો. જો કે તેમનું નિશાન ચૂકી ગયું અને હાથગોળો પોસ્ટ પહેલા જ રસ્તા પર પડ્યો. આ ઘટનામાં 9 નાગરિકો અને 2 સુરક્ષાદળોના જવાન ઘાયલ થયા. 

આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન
ઘાયલ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સાથે જ વિસ્તારમાં નાકાબંધી કરીને આતંકીઓની શોધ ચાલુ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓનો કોઈ સુરાગ મળ્યો નથી. સુરક્ષાદળો આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 

સુરક્ષાદળોની કડકાઈ આગળ આતંકીઓ હાંફી રહ્યા છે
અત્રે જણાવવાનું કે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો મળીને આતંકીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાએ કડકાઈ અપનાવતા પીઓકેથી કાશ્મીરમાં આવતા હથિયારો અને પૈસા પર કસંજો કસ્યો છે. જેનાથી આતંકીઓ અને તેમના હમદર્દોની અકળામણ વધી છે. જેના કારણે તેઓ ચોરી છૂપે જવાનો પર હુમલો કરી ભાગી જવાની રણનીતિ અપનાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news