મહેબુબા મુફ્તીની આતંકવાદીઓને અપીલ! રમઝાન દરમિયાન હુમલા નહી કરવા અપીલ

જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, એક મહિના માટે સંપુર્ણ શાંતિ જાળવવામાં આવે તે જરૂરી છે

મહેબુબા મુફ્તીની આતંકવાદીઓને અપીલ! રમઝાન દરમિયાન હુમલા નહી કરવા અપીલ

શ્રીનગર : પોતાનાં વિવાદિત નિવેદનો મુદ્દે સતત ચર્ચાઓમાં રહેનારા  પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં અધ્યક્ષ મહેબુબા મુફ્તી એકવાર ફરીથી સમાચારોમાં આવી ગયા છે. મહેબુબા મુફ્તીએ શનિવારે કહ્યું કે, મુસ્લિમ ધર્મના સૌથી મોટા તહેવાર પવિત્ર રમઝાનનાં મહિનો આવવાનો છે. આ દરમિયાન લોકો દિવસ રાત દુવાઓ માંગવા મસ્જિદો અને ઇબાદતગાહોમાં જાય છે. મહેબુબાએ કહ્યું કે, મારી ભારત સરકારને અપીલ છે કે ગત્ત વર્ષની જેમ જ આ વખતે પણ રમઝાન મહિનામાં સીઝફાયર હોય. 

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, આ મહિના માટે સેના દ્વારા ચલાવવામાં આવતા સંશોધન અભિયાન (સર્ચ ઓપરેશન) અને અન્ય કડક કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવો જોઇએ. તેના કારણે રાજ્યનાં લોકોને ઓછામાં ઓછો એકમહિનો આરામ મળી જશે. તેમણે કહ્યું કે, હું આતંકવાદીઓને અપીલ કરીશ કે  તેઓ રમઝાન મહિનામાં કોઇ હુમલો ન કરે કારણ કે રમઝાનનો પવિત્ર મહિનો ઇબાદત અને દુવા માંગવાનો છે. 

હાલમાં જ મહેબુબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની આ ટીપ્પણી મુદ્દે નિશાન સાધ્યું હતું કે, અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એએ રાજ્યને ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. મહેબુબાએ કહ્યું કે, આ અનુચ્છેદ દેશની સાથે  તેમના સંબંધોનો આધાર છે.  મહેબુબાએ કહ્યું કે, અનુચ્છેદ 370 દેશની સાથે અમારા સંબંધો જોડાણનો આધાર છે અને જો વડાપ્રધાનને લાગે છે કે તેના કારણે કાશ્મીરને નુકસાન થયું તો તેમને કાશ્મીર છોડી દેવું જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે અને રાજ્ય સાથે સંબંધિત કાયદાઓ બનાવવાની સંસદની શક્તિને સીમિત કરે છે અને રાજ્યથી સંબંધિત કાયદા બનાવવાની સંસદની શક્તિઓને સીમિત કરે છે. અનુચ્છેદ 35એ રાજ્ય વિધાનસભાને વિશેષાધિકાર આપવા માટે સ્થાનીક નિવાસીઓને પરિભાષીત કરવાની શક્તિ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news