ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ

શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહે તો નમો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ

મુંબઇ : શુક્રવારે શિવસેનાએ પોતાની સહયોગી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી કે તે રાફેલ સોદા પર ઓછુ બોલે, જેના મુદ્દે કોંગ્રેસ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવી રહ્યું છે.  શિવસેનાએ ચેતવણી ઉચ્ચારી છે કે બિનજરૂરી નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પડકારોને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહે તો નવો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ જલગામમાં એક જનસભા દરમિયાન મહારાષ્ટ્રનાં મંત્રી ગિરીશ મહાજનની સામે ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હાલનાં ઘર્ષણ મુદ્દે પણ રાષ્ટ્રીય પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં વીડિયોનાં કારણે પાર્ટીની શાખને ખુબ જ નુકસાન પહોંચી રહ્યું છે.

ભાજપે પાર્ટીમાં ગુંડાઓની ભર્તી કરી છે. 
પાર્ટીએ પોતાનાં મુખપત્ર સામનામાં સંપાદકીય લખ્યું, ચોકાવનારો વીડિયો (ઘર્ષણનો) સમગ્ર દેશમાં જોવાયો. ભાજપપે પાર્ટીમાં ગુંડાઓની ભરતી કરી અને તેને વાલ્મિકીમાં બદલી નાખ્યા. જો કે અહીં અનુભવી વાલ્મીકિ ગુંડામાં બદલી ગયા અને હિંસા પર ઉતરી આવ્યા. તેમણે કહ્યું કે, એટલું જ નહી માત્ર મહાયુતિ (ભાજપ-શિવસેના ગઠબંધન) ના પ્રચાર પર ધબ્બો છે પરંતુ સમય આવી ચુક્યો છે કે ભાજપ આ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે. 

રાફેલ મુદ્દે સંયમ સાથે વાતચીત કરવાની જરૂર
શિવસેનાએ કહ્યું કે શક્ય ત્યાં સુધી રાફેલ મુદ્દે તેમણે અહંકાર છોડી દેવાની જરૂર છે સાથે સાથે સંયમ વર્તવાની જરૂર છે. સંરક્ષણ મંત્રીથી માંડીની બીના નેતાઓ સુધી લોકો (ભાજપમાં) જે ઇચ્છે તે બોલી રહ્યા છે. રાફેલ મુદ્દે આટલા ઉચ્ચ મંત્રીઓનો આવો વાણીવિલાસ યોગ્ય નથી. મુખપત્રમાં કહેવાયું કે, તેના કારણે પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. માટે અમારી સલાહ છે કે જેટલું ઓછું બોલો તેટલું સારુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news