Irrfan khan News

સુશાંત બાદ હવે ઇરફાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું મેમોરિયલાઇઝ્ડ, ભાવુક થયા ફેન્સ
Jul 7,2020, 16:00 PM IST
સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે. 
Apr 30,2020, 18:11 PM IST
Rishi Kapoorની Life Story : આ એક્ટ્રેસને લગ્ન પહેલા ડેટ કરી હતી
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત રાત્રે એવા સમાચાર મળ્યા હતા કે, તેઓને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે, જેથી રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઋષિ કપૂરનું નિધન થયું છે અને તેઓ તૂટી ચૂક્યા છે. ચોકલેટી હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેઓએ બોલિવુડમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે, અને એવોર્ડ મેળવ્યા છે. વર્ષ 2008માં તેઓને ફિલ્મ ફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આવો, આપણા સૌના ફેવરિટ ઋષિ કપૂરના જન્મથી લઈને ફિલ્મી કરિયર વિશે માહિતી મેળવીએ. ઋષિ કપૂરના જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. તેઓ બોલિવુડ શો મેન તરીકે પ્રખ્યાત રાજ કપૂરની બીજી સંતાન હતા. ઋષિ કપૂરને લોકો પ્રેમથી ચિંટુ પણ બોલાવે છે. ઋષિ કપૂરને બે ભાઈઓ છે, રણધીર કપૂર અને રાજીવ કપૂર.
Apr 30,2020, 13:31 PM IST
મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...
કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. 
Apr 30,2020, 11:47 AM IST

Trending news