ઉમિયાધામ News

પાટીદારોનું સપનુ આજે સાકાર થશે, 1500 કરોડના ખર્ચે બનનાર ઉમિયાધામનો આજે પાયો નંખાશે
આજે અમદાવાદમાં ભવ્ય ઉમિયાધામ (umiyadham) નું આજે શિલાન્યાસ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નિર્માણ પામનારા ઉમિયાધામનું શિલાન્યાસ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં પાટીદાર (patidar) સમાજના અગ્રણી સી.કે.પટેલ, મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરાશે. આ સાથે અમિત શાહ અમદાવાદ શહેરને 275.78 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 66 કરોડના ખર્ચૈ તૈયાર થનાર સીમ્સ હોસ્પિટલથી હેબતપુર વચ્ચેના ફલાયઓવરનું લોકાર્પણ કરશે.
Dec 11,2021, 8:40 AM IST

Trending news