ગોધરાકાંડ News

નાણાવટી પંચના રિપોર્ટમાં નેગેટિવ રિમાર્ક મેળવનાર પૂર્વ IPS અધિકારી આરબી શ્
આજે ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હતો, જેમાં નાણાવટી પંચે સોંપેલો ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમની કેબિનેટના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. તો બીજી તરફ, ત્રણ અધિકારીઓ માટે આ રિપોર્ટ અત્યંત નેગેટિવ છે. નાણાવટી પંચના રિપોર્ટમાં ગોધરા રમખાણોના સમયમાં તેમની ભૂમિકા નેગેટિવ હોવાનું જણાવાયું છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું રિપોર્ટ કહે છે અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં પૂર્વઆઇપીએસ અધિકારી આરબી શ્રી કુમારની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ ચિન્હ મૂકાયો છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ આર.બી શ્રીકુમારે શું કહ્યું તે જાણીએ...
Dec 11,2019, 16:16 PM IST
Godhrakand Report: નાણાવટી પંચના રિપોર્ટ બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
Dec 11,2019, 16:10 PM IST

Trending news