ભક્તિ સંગમ: નાગપંચમીના દિવસે જાણો નાગ દેવતાનું વિશેષ મહત્વ

શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમી તરીકે ઉજવાય છે આ દિવસે સમગ્ર રાજ્યમાં લોકો નાગદાદાનું પૂજન અર્ચન કરે છે અને નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રધ્ધા પૂર્વક કરવામાં આવે છે જિલ્લાના ભિલોડા તાલુકાના ધમબોલિયા ગામે આવેલા જિલ્લાના એક માત્ર ગોગા મહારાજ મંદિરે અનેક ભક્તો ઉમટશે અને ભગવાન ગોગા મહારાજના દર્શન અને પૂજા કરી નાગ પંચમી ની ઉજવણી કરશે મંદિરના મહારાજ દ્વારા આ માટે નિજ મંદિરને સાજવાયું છે

Trending news