‘હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન’: નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમના પર લગાવવામાં આવેલા આરોપો પર ભાવુક નિવેદન આપ્યું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે, ‘હું દેશદ્રોહી નથી, હું અને મારો પરિવાર પાકિસ્તાનની જમીનથી પ્રેમ કરી છે.’ તેઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનથી પ્રેમ કરે છે. આ કારણે છે કે 1947માં જ્યાપે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન આવી ગયો હતો.
‘હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન’: નવાઝ શરીફ

લાહોર: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમના પર લગાવવામાં આવેલા આરોપો પર ભાવુક નિવેદન આપ્યું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે, ‘હું દેશદ્રોહી નથી, હું અને મારો પરિવાર પાકિસ્તાનની જમીનથી પ્રેમ કરી છે.’ તેઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનથી પ્રેમ કરે છે. આ કારણે છે કે 1947માં જ્યાપે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન આવી ગયો હતો.

નવાઝ શરીફ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે સોમવારે સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન નવાજ શરીફે તેમના બચાવમાં કહ્યું કે તેમની દેશભક્તિ પર સવાલ ન ઉઠાવો, તે પાકિસ્તાનને ખુબ જ પ્રેમ કરે છે.

નવાઝ શરીફે એક ઇન્ટરવ્યૂમાં સ્વિકાર્યું હતું કે 2008માં મુંબઇ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમના આ નિવેદનને દેશની વિરુદ્ધ વિશ્વાસઘાત તરીકે વર્ણવવામાં આવે છે. આ મામલે સિવિલ સોસાયટીના સદસ્ય અમીના મલિકે નવાઝ શરીફ અને તેમનું ઇન્ટરવ્યૂ લેનાર પત્રકાર સિરિલ અલમીડા પર દેશદ્રોહનો કેસ ચલાવવાની અરજી દાખલ કરી હતી.

कुलसुम के अंतिम संस्कार में शामिल होने के लिए नवाज शरीफ और उनकी बेटी को मिली पैरोल, लाहौर पहुंचे

નવાઝના આ નિવેદન પર વિવાદ બાદ તાત્કાલીન પ્રધાનમંત્રી શાહિદ ખાફન અબ્બાસીએ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી હતી. ત્યારબાદ અબ્બાસીએ નવાઝથી મળીને તેમને બેઠકમાં થયેલી ચર્ચાઓની જાણ કરી હતી. તેના માટે મલિકે અબ્બાસી પર પણ કેસ કર્યો છે.

લાહોર હાઇ કોર્ટમાં તેમનો પક્ષ રાખતા નવાઝે કહ્યું કે, ‘જે વ્યક્તિએ દેશને પરમાણુ રાષ્ટ્ર બનાવ્યો તે દેશદ્રોહી કેવી રીતે હોઇ શકે છે. હાલમાં થયેલી પેટા ચૂંટણીમાં જે વ્યક્તિની પાર્ટીને સૌથી વધુ વોટ મળ્યા તે દેશદ્રોહી કેવી રીતે હોઇ શકે છે? હું લાખો દેશવાસીઓનું પ્રતિનિધિત્વ કરું છું, શું તે દેશદ્રોહી હોઇ શકે છે?’ વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન પ્રતિ પ્રેમ માટે તેમનો પરિવાર ભારત છોડી અહીંયા આવી ગયો હતો.

શરીફે ગદ્દારીનો આરપો ખોટો ગણાવતા કહ્યું કે, મને અને મારા પરિવારને આ માટી (પાકિસ્તાન)ના કણ કણથી પ્રેમ છે. શરીફના પિતા મિયા મોહમ્મદ શરીફ પંજાબના તરન તારન જિલ્લાના જટ્ટી ઉમરામાં વસતા હતા. 1947માં દેશોના ભાગલા સમયે તેઓ લાહોર આવી ગયા હતા.

भ्रष्'€à¤Ÿà¤¾à¤šà¤¾à¤° में जेल में बंद नवाज शरीफ के केस की डेडलाइन तय, पाक सुप्रीम कोर्ट ने दिया सख्'€à¤¤ आदेश

આ મામલે પોતાનો જવાબમાં એક અન્ય પૂર્વ પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીએ આ વાતથી ઇન્કાર કર્યો હતો કે તેમણે મુંબઇ આતંકવાદી હુમલામાં શામેલ લોકો વિશે શરીફની ટિપ્પણીના સંબંધમાં રાષ્ટ્રીટ સુરક્ષા પરિષદની બેઠકની જાણકારી આપી હતી.

પત્રકાર અલમેજાએ કહ્યું કે તેમણે કોઇ ગદ્દારી કરી નથી કેમકે તેણે શરિફની મુલાકાત લીધી અને તેમણે જે કહ્યું તે જ તેણે લખ્યું. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યૂલેટરી ઓથોરિટીએ પણ તેમના જવાબ દાખલ કરતા કહ્યું કે આ મુદ્દો પાકિસ્તાન પ્રેસ પરિષદની પાસે મોકલી દેવામાં આવ્યો છે.

જસ્ટિસ મઝહર અલી નકવીના નેતૃત્વ અંતર્ગત અદાલતની પૂર્ણ પીઠ હવે આ મામલે સુનાવણી 12 નવેમ્બરે કરશે. અદાલત અમિના મલિકની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. અમીનાએ જણાવ્યું હતું કે પનામા પેપર મામલે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જુલાઇ 2017માં અયોગ્ય કરાર આપવામાં આવેલા શરીફે ગત વર્ષ મે મહિનામાં કહ્યું હતું કે મુંબઇ આતંકવાદી હુમલામાં શામેલ લોકો પાકિસ્તાની હતા. અરજીકર્તાએ કહ્યું કે શરીફ ત્રણવાર પ્રધાનમંત્રી રહી ચુક્યા છે અને તેમને ‘રાષ્ટ્ર વિરોધી’ નીવેદનનો ઉપયોગ દેશના દુશ્મન કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news