Agriculture in India: જો બિઝનેસ દ્વારા તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક ઉત્તમ બિઝનેસ આઈડિયા આપીશું. આ એક એવો બિઝનેસ છે જેને તમે જાદુઈ બિઝનેસ પણ કહી શકો છો. એટલે કે તેમાં નુકસાન જવાના ચાન્સ ઓછા છે. અમે અહીં જાદુઈ ફૂલોની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં બુંદેલખંડના ખેડૂતો જાદુઈ ફૂલોની ખેતી કરીને પોતાનું ભાગ્ય ચમકાવી રહ્યા છે. ખેડૂતો સતત તેના તરફ વળી રહ્યા છે. તેને જાદુઈ ફૂલ કે પછી કેમોમાઈલ ફૂલ (Chamomile Flower) ના નામથી ઓળખવામાં આવે છે. આ ફૂલોથી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા બનાવવામાં આવે છે. આથી પ્રાઈવેટ કંપનીઓમાં આ ફૂલોની બંપર ડિમાન્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 રાશિના જાતકો પાસે ટકતા નથી રૂપિયા, લોકો કહે છે તારો તો હાથ કાણો છે!
5 જણ પૂછવા આવે એવી છે ઘઉંની ખેતી કરવાની આ ટિપ્સ, કોથળે કોથળા ભરીને થશે ઉત્પાદન


કેમોમાઈલ (જાદુઈ ફૂલ) નિકોટીન રહીત હોય છે. તે પેટ સંલગ્ન  બીમારીઓ માટે રામબાણ છે. આ ફૂલોનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જાદુઈ ફૂલોની માંગણી આયુર્વેદિક કંપનીઓમાં વધુ છે. આવામાં અનેક લોકો આ ફૂલોની ખેતી કરવા લાગ્યા છે. 


ફેબ્રુઆરીમાં ક્યારે શરૂ થશે પંચક? કેમ કહેવાય છે અશુભ, જાણો 5 દિવસ સુધી શું ન કરવું
ફેબ્રુઆરીમાં 16 દિવસનો શુભ સંયોગ, 8 સર્વાર્થ સિદ્ધિઓ, 1 ગુરુ પુષ્ય યોગ


જાદુઈ ફૂલનું ઉત્પાદન અને કમાણી
ઉજ્જડ જમીન પર જાદુઈ ફૂલની બંપર ઉપજ થાય છે. આ ફૂલોની ખેતીથી ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ સારી કરી શકે છે. એક એકર જમીનમાં 5 ક્વિન્ટલ જાદુઈ ફૂલ ઉગી શકે છે. જ્યારે એક હેક્ટરમાં લગભગ 12 ક્વિન્ટલ સુધી જાદુઈ ફૂલોની ઉપજ લઈ શકાય છે. તેનો ખર્ચો લગભગ 10,000 થી 12000 રૂપિયા આવે છે. તેના ખર્ચમાં 5-6 ગણો નફો મેળવી શકાય છે. તેનો પાક 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. એટલે કે 6 મહિનામાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. લાંબા સમય સુધી આ ફૂલોની ખેતી કરવાથી જલદી કરોડપતિ બની શકાય છે. 


ગુરૂવારે આ ઉપાય કરશો તો દેવી દેવતાઓ થઇ જશે ખુશ, બગડેલી બાજી સુધરી જશે
વધુ નહી પણ વાસ્તુની આ 5 ટિપ્સ યાદ રાખો, ક્યારેય ખૂટશે નહી લક્ષ્મી, બદલાઇ જશે દિવસો


જાદુઈ ફૂલના ફાયદા
આ ફૂલોને સૂકવીને તેની ચા બનાવીને પી શકાય છે. તેની ચાથી અલ્સર અને ડાયાબિટિસ જેવી બીમારીઓથી છૂટકારો મળી શકે છે. સ્કીનના રોગોમાં પણ કેમોમાઈલ ખુબ ફાયદાકારક છે. તે બળતરા, અનિંદ્રા, ગભરાહટ, અને ચિડિયાપણા માટે ખુબ ફાયદાકારક છે. આ  ફૂલોનો ઉપયોગ મોચ, ઘા, રેશીઝ, અને પેટની બીમારીઓ દૂર કરવામાં થાય છે. 


દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ,અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા
લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા