ATM Withdrawal Charges: આજકાલ દરેક વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોય છે. બેંક એકાઉન્ટની સાથે એટીએમ પણ હોય છે. ત્યારે જો તમે ATM નો ઉપયોગ કરો છો, તો હવે તેનો ચાર્જ વધારે ચૂકવવા તૈયાર રહો. કારણ કે હવે ATM નો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડવા મોંઘુ પડે શકે છે. હકીકતમાં ATM ઓપરેટર્સે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સામે માંગ કરી છે કે, ATM થી કેશ કાઢવા માટેના રૂપિયા વધારવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરચેન્જ ફી 23 રૂપિયા કરવાની માંગ
એક રિપોર્ટ અનુસાર, એટીએમ ઈન્ડસ્ટ્રીઝના સંગઠન, કૈટમી (CATMI) ઈચ્છે છે કે, ઈન્ટરચેન્જ ફી વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે. તેમનું કહેવું છે કે, તેનાથી એટીએમના વ્યવસાયમાં વધારે ઈન્વેસ્ટ થઈ શકશે. 


ઉલ્લેખનીય છે કે, એટીએમ ઈન્ટરચેન્જ ફીનો મતલબ એ ચાર્જ સાથે છે, જે તમારા કાર્ડને જાહેર કરનાર બેંક તરફથી એ બેંકને આપવામાં આવે છે. જેનાથી એટીએમ મશીનનો ઉપયોગ કરીને તમે તમારા કાર્ડથી રૂપિયા નીકળી શકો છો. 


શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો


ATM Interchange Fee તમારો ખર્ચ વધશે
જો એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવામાં આવશે, તો તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેના બાદ એટીએમથી નિર્ધારતી ફ્રી લિમિટ બાદ રૂપિયા કાઢવા પર તમને વધારાનો ચાર્જ આપવો પડશે. 


મીડિયા રિપોર્ટસની માનીએ તો એટીએમ ઓપરેટર્સને આશા છે કે, આરબીઆઈ તેમની માંગને સાંભળ્યા બાદ તેમનું સમર્થન કરશે. ગત સમયે એટીએમ ટ્રાન્ઝેક્શન પર ઈન્ટરચેન્જ ફી બે વર્ષ પહેલા વધારવામાં આવી હતી. જોકે, આરબીઆઈ તરફથી તેને લઈને હાલ કોઈ પ્રતિક્રીયા આપવામાં આવી નથી. 


જાણો કેટલીવાર ફ્રીમાં એટીએમમાંથી રૂપિયા કાઢી શકો છો 
પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના પ્રમુખ શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નઈમાં જો તમે એ જ બેંકના એટીએમમાંથી રૂપિયા કાઢો છો, જેનું કાર્ડ તમારી પાસે છે તો તમને બેંક તરફથી એક મહિનામાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામા આવે છે. પરંતું જો તમે કોઈ બીજી બેંકના એટીએમમાંથી રૂપિયા કાઢો છો તો તમને માત્ર ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે. તેના બાદ અલગ અલગ બેંક એક ફિક્સ્ડ એમાઉન્ટ ચાર્જ કરે છે. 


લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ