નવી દિલ્હી: હોળી પહેલાં દેશના સરકારી કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર મોંઘવારી ભથ્થાને 4 ટકા વધારી શકે છે. તેનાથી કેંદ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) ને પગારમાં ખૂબ વધારો થઇ જશે. તેનાથી કેંદ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેંશનભોગીઓ (Pensioners) ને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી રાહત ભથ્થાને વધારી શકે સરકાર
મીડિયા રિપોર્ટ અનુસાર ઓલ ઇન્ડીયા કંઝ્યૂમર પ્રાઇસ ઇંડેક્સ (Consumer Price Index) ની ઘોષણા અને સંસદમાં કેંદ્રીય બજેટ 2021  (Union Budget 2021) રજૂ થયા બાદ મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધી વધારાના અણસાર વધી ગયા છે. સૂત્રોના અનુસાર સરકાર મોંઘવારી રાહત ભથ્થા (Dearness Relief) ને 4 ટકા વધારી શકે છે. સાથે જ બીજા બાકી ભથ્થાની પણ ચૂકવણી કરી શકે છે.  

WhatsApp એ ફરી રિલીઝ કરી પ્રાઇવેસી પોલિસી, જાણો લો ખતરો


7મા પગાર પંચની ભલામણ પર થશે અમલ 
ડીએ વધારા પર સરકારની જાહેરાત 7મા પગાર પંચ (7th Pay Commission) ની ભલામણ પર આધારિત હશે. વર્તમાનમાં કેંદ્રીય કર્મચારીને 17 ટકાની ડીએ મળે છે. એટલા DA ની 4 ટકાની અને વૃદ્ધિ, કુલ ડીએમાં વધારો થશે. 

Gold Price Today, 19 February 2021: 10,000થી વધુ સસ્તું થયું સોનું, 9 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું


કેંદ્રના ફોર્મૂલા પર ચાલી શકે છે રાજ્ય
રિપોર્ટ અનુસાર કેંદ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનભોગીઓને ડીએ અને ડીઆરના આ હપ્તાને ફ્રીજ કરવાથી આ નાણાકીય વર્ષમાં સંયુક્ત બચત 37,530 કરોડ રૂપિયા થશે. તે પહેલાં વર્ષમાં પણ આ બચત થઇ રહી છે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારો સામાન્ય રીતે DA और DR પર કેંદ્રના આદેશનું પાલન કરી શકે છે. અનુમાન છે રાજ્ય સરકાર પણ કેંદ્રના આ ફોર્મૂલાને અપનાવતાં કર્મચારીઓ અને પેંશનરોના DA-DR ને સસ્પેંડ કરી 82,566 બચત કરી શકે છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube