Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે જે તમારા હાથમાં ન હોય. તેના પર વધુ ચિંતા  કરવાની જરૂર નથી. આ સિદ્ધાંત ઉપર તેઓ કામ કરે છે. ગૌતમ અદાણી અનેક વિપરિત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને આવ્યા છે. નેવુંના દાયકામાં ગૌતમ અદાણીનું અપહરણ થયું હતું. આ સિવાય તેઓ 26/11 મુંબઈ આતંકી હુમલા દરમિયાન પણ તાજ હોટલમાં ફસાયેલા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વાર મોતને નજીકથી જોયું
ગૌતમ અદાણીએ શનિવારે ઈન્ડિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અપહરણ અને મુંબઈ હુમલાવાળી વાત પણ શેર કરી. ગૌતમ અદાણીએ રજત શર્માના કાર્યક્રમ 'આપ કી અદાલત'માં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં બે વાર મોતને એકદમ નજીકથી જોયું છે. પોતાના અપહરણ વિશે બોલતા ગૌતમ અદાણીએ કહ્યું કે 'ખરાબ સમયને ભૂલી જવો જ સારું હોય છે. હું દરેક પરિસ્થિતિમાં મારી જાતને ઢાળી દઉ છું. જે દિવસે અપહરણ થયું તેના બીજા જ દિવસે મને છોડી મૂક્યો હતો. પરંતુ જે રાતે મારું અપહરણ થયું તે રાતે પણ હું શાંતિથી સૂઈ ગયો હતો. કારણ કે જે ચીજો આપણા હાથમાં નથી તેના પર વધુ પરેશાન થવાથી કોઈ ફાયદો થતો નથી.'


અદાણીએ કહ્યું કે મારું માનવું છે કે જે આપણા વશમાં નથી તેવી કોઈ પણ વાતની ચિંતા કરવી જોઈએ નહીં. નિયતિ આપોઆપ નક્કી કરી લેશે. નોંધનીય છે કે વર્ષ 1997માં અદાણીના અપહરણની ઘટનાએ બધાને ચોંકાવી દીધી હતી. 


જ્યારે આતંકી હુમલામાં ફસાયા હતા અદાણી
આ સિવાય ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા સમયે તેઓ તાજ હોટલમાં હતા અને તેઓ તે એટેકના સર્વાઈવર છે. તેઓ દુબઈથી આવેલા એક મિત્ર સાથે ડિનર કરવા તાજ હોટલમાં ગયા હતા. તેમની આંખ સામે આતંકીઓ ગોળી વરસાવી રહ્યા હતા. તે દહેશતના મંજરને તેમણે ખુબ જ નજીકથી જોયું હતું. પરંતુ તેઓ ગભરાયા નહીં કારણ કે ગભરાવવાથી કશું થવાનું નથી. 


કામ માટે માણસો જોઈએ છે એમ સાંભળ્યું છે, પણ આ દેશમાં તો ઉદ્યોગપતિઓને જોઈએ છે વારસદાર!


હોમ લોન માટે અરજી કરતાં પહેલાં કરો યોગ્ય તૈયારી , ક્યારેય બેન્ક નહીં કરી શકે કેન્સલ


Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ


અદાણીએ આ ઘટના વિશે જણાવતા કહ્યું કે હોટલમાં ડિનર બાદ બિલ પે કરવા માટે બહાર નીકળવાનો જ હતો કે આતંકી હુમલાના સમાચાર મળ્યા. અને પછી આખી રાત દહેશતમાં વીતી. જો થોડી મિનિટો પહેલા નીકળી ગયા હોતતો કદાચ તેનાથી પણ ખરાબ થઈ શકતું હતું. આખી રાત હું તાજ હોટલમાં ફસાયેલો હતો. હોટલના કર્મચારીઓ પાછળના રસ્તે ઉપર લઈ ગયા. સવારે 7 વાગ્યા બાદ જ્યારે કમાન્ડોનું પૂરેપૂરું પ્રોટેક્શન મળ્યું ત્યારે બહાર નીકળી શક્યા. 


સફળતા જ મહેનતની કૂંજી
ગૌતમ અદાણી જીવનના ઉતાર ચડાવથી પરેશાન થતા નથી. તેમનું માનીએ તો મહેનત જ સફળતાની ચાવી છે. દરેકે મહેનત કરીને આગળ વધવું જોઈએ. તેમણે જણાવ્યું કે દેશના 22 રાજ્યોમાં તેમના પ્રોજેક્ટ્સ ચાલે છે. આથી તેમના પર જે આરોપ લાગી ર હ્યા છે તે પાયાવિહોણા છે અને માત્ર રાજકીય લાભ ખાટવાના હેતુથી નિવેદન આપવામાં આવે છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube