નવી દિલ્હી: દેશના ત્રણ સૌથી મોટા ભાગેડુઓ વિજય માલ્યા, નીરવ મોદી, અને મેહુલ ચોક્સી મામલે સરકારી બેંકોને મોટી સફળતા મળી છે. ઈડીએ આ ત્રણેય ભાગેડુઓ પાસેથી જપ્ત થયેલી 9371.17 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દીધી છે. સરકારી બેંક હવે આ સંપત્તિઓની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી બેંકોને સંપત્તિ કરાઈ ટ્રાન્સફર
અત્રે જણાવવાનું કે વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી સરકારી બેંકો સાથે ફ્રોડ આચરીને લોન લીધી અને આ ફંડને પોતાની કંપનીઓ દ્વારા બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવ્યું જેનાથી સરકારી બેંકોને 22,585.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું. મેહુલ ચોંક્સીએ  પંજાબ નેશનલ બેંકને 13500 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. જ્યારે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. 


ED એ ટ્વીટ કરીને આપી જાણકારી
આ અંગે આજે ED એ ટ્વીટ પણ કરી છે. જેમાં કહ્યું છે કે અત્યાર સુધીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની 18170 કરોડની સંપત્તિ અટેચ અને સીઝ કરી છે. આ રકમ બેંકોના કુલ નુકસાનના લગભગ 80.45 ટકા છે. PMLA હેઠળ જપ્ત કરાયેલી આ સંપત્તિઓનો એક હિસ્સો સરકારી બેંકો અને કેન્દ્ર સરકારને પણ ટ્રાન્સફર કરાયો છે જે 9371 કરોડ રૂપિયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube