2000 Rupees Note Exchange:  ભારતીય રિઝર્વ બેંકે બજારમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની લીગલ ટેન્ડર તો રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. આરબીઆઈએ દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ આપવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બે રૂપિયા નહીં 3.50 લાખ કરોડ રૂપિયા જમા કરાવવા પડશે, બેન્કોમાં લાગશે લાઈનો


ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે સાંજે એક મોટી જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું હતું કે 2 હજારની નોટ હવે ચલણમાંથી બહાર થઈ જશે. એટલે કે 2016ના નોટબંધી બાદ ચલણમાં આવેલી રૂ.2,000ની નોટ હવે બજારમાંથી ગાયબ થઈ જશે. જો કે, આ વખતે નોટબંધીનો નિર્ણય 8 નવેમ્બર 2016ના નોટબંધી કરતા તદ્દન અલગ છે. કારણ, રિઝર્વ બેંકે હજુ સુધી 2 હજારની નોટ બંધ કરી નથી. તે હજી પણ માન્ય રહેશે અને કોઈ તેને લેવાનો ઇનકાર કરી શકશે નહીં. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.


RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો


રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હવે 2 હજાર રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને રિઝર્વ બેંક ધીમે-ધીમે આ નોટો પાછી ખેંચી લેશે. સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2-2 હજારની નોટ 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંકમાં જમા કરાવી શકે છે. આ સાથે, સામાન્ય લોકોને અગાઉના નોટબંધીની જેમ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ હવે પણ તેમની પાસે રાખવામાં આવેલી 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકશે. 


RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો


હકીકતમાં, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ઘણી ઉથલપાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ હતી. સરકારે 200, 500 અને 2 હજારની નોટો લોન્ચ કરી હતી. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


2000 Note Update News: આ તારીખ યાદ રાખો, 2000ની નોટ બદલવાની આ છે છેલ્લી તારીખ!


2016માં નોટબંધી બાદ અરાજકતા સર્જાઈ હતી
નવેમ્બર 2016 માં નોટબંધી પછી આગામી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. નોટબંધીની જાહેરાત બાદ આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા કે જેમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે કરોડોની રકમ ક્યારેક નદીમાં તો ક્યારેક કચરામાં જોવા મળી હતી. પરંતુ આ વખતે 2 હજારની નોટ ચલણમાંથી બહાર નહીં કરાતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.


2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે


ભારતમાં નોટબંધી નવી નથી
તમને જણાવી દઈએ કે ભારતમાં નોટબંધી નવી નથી. ભારતની આઝાદી પહેલા પણ દેશમાં નોટબંધી કરવામાં આવી હતી. 1946ની વાત છે, બ્રિટિશ શાસન દરમિયાન દેશમાં પહેલીવાર નોટબંધી થઈ હતી. 12 જાન્યુઆરી 1946ના રોજ, ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ, સર આર્ચીબાલ્ડ વેવેલે, ઉચ્ચ મૂલ્યની બેંક નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે, 26 જાન્યુઆરીની મધ્યરાત્રિથી 500, 1000 અને 10,000 રૂપિયાની ઉચ્ચ મૂલ્યની બેંક નોટો અમાન્ય થઈ ગઈ છે.


RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો


1978માં પણ નોટબંધી થઈ હતી
16 જાન્યુઆરી 1978ના રોજ, જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે કાળા નાણાને દૂર કરવા માટે રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટો બંધ કરી હતી. તેના પગલાના ભાગરૂપે, સરકારે જાહેરાત કરી હતી કે તે દિવસે બેંકિંગ સમય પછી રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટોને લીગલ ટેન્ડર ગણવામાં આવશે નહીં. બીજા દિવસે,17 જાન્યુઆરીએ, તમામ બેંકો અને તેમની શાખાઓ વ્યવહારો માટે બંધ રાખવાની સાથે સાથે સરકારોની તિજોરીઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દેસાઈ સરકારમાં નાણામંત્રી એચ.એમ. પટેલ જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાણા સચિવ હતા.


દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2 હજારની નોટ,30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે!