નવી દિલ્હીઃ India's First CNG powered tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitin gadkari) શુક્રવારે ભારતનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર બજારમાં રજૂ કરશે. સરકારે ગુરૂવારે આ જાણકારી આપતા કહ્યું કે, તેનાથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ એક લાખ રૂપિયા સુધીની બચત કરી શકાય છે. ટ્રેક્ટરને ડીઝલથી સીએનજી ઈંધણ વાળુ બનાવવામાં આવ્યું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'સીએનજીમાં પરિવર્તિત ભારતનું પ્રથમ ડીઝલ ટ્રેક્ટર શુક્રવારે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ઔપચારિક રૂપથી બજારમાં રજૂ કરશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું છે રે રામમૈટ ટેક્નો સોલ્યૂશન અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રૂપથી પરિવર્તિત અને વિકસિત આ ટ્રેક્ટરથી કિસાનોનો ખર્ચ ઓછો કરવા અને ગ્રામીણ ભારતમાં રોજગારનો અવસર પેદા કરવામાં મદદ મળશે. આ તકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, પરષોતમ રૂપાલા અને વીકે સિંહ પણ હાજર રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું, 'કિસાનો માટે સૌથી મહત્વપૂર્ણ લાભ, ઈંધણના ખર્ચમાં વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે, જેથી તેને પોતાની આજીવિકામાં સુધાર કરવામાં મદદ મળશે.'


આ પણ વાંચોઃ Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત


નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ વધુ સુરક્ષિત છે કારણ કે સીએનજી ટેન્ક પર સીલ લગાવવામાં આવ્યું છે. તેમાં ઈંધણ ભરવા દરમિયાન કે ઈંધણ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનો ખતરો ઓછો હોય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'તેનું ભવિષ્ય છે, કારણ કે વર્તમાનમાં વિશ્વભરમાં લગભગ 1.2 કરોડ વાહન પહેલાથી જ પ્રાકૃતિક ગેસથી સંચાલિત છે અને દરરોજ વધુ કંપનીઓ અને નગરપાલિકાઓ સીએનજી વિતરણમાં સામેલ થઈ રહી છે.' તેમાં કહેવામાં આવ્યું કે, ડીઝલની તુલનામાં સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાની કમી થાય છે. તેનાથી કિસાનોને ઈંધણના ખર્ચમાં પણ 50 ટકા સુધીની બચત થશે. 


વેપારના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube